Home » photogallery » dharm-bhakti » આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

દેશમાં ગંગા નદી કિનારે એક એવું ભવન આવેલું છે, જેમાં 9-10 રૂમ છે. આ દરેક રૂમમાં લોકો રહે છે. આ બધા લોકો અહીં મરવા માટે આવ્યા હોય છે. કેટલીક વાર અહીંયા આવતા જ મોત આવી જાય છે તો ઘણીવાર રાહ જોવી પડે છે. જાણો કઈ છે આ જગ્યા અને કેમ લોકો અહીં સ્પેશિયલ મરવા માટે આવે છે...

  • 17

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    વારાણસીમાં એક એવું ભવન આવેલું છે કે જ્યાં લોકો મરવાની રાહ જોવા માટે આવે છે. વર્ષ 1908માં આ ભવનને મુક્તિભવન નામથી ઓળખવામાં આવે છે. અહીં આવતા દરેક લોકોના નામ રજિસ્ટર કરવામાં આવે છે. આ રજિસ્ટરમાં મોટાભાગના નામ એવાં છે કે જે અહીં આવ્યાના થોડા સમય બાદ જ મૃત્યા પામ્યા હતા.

    MORE
    GALLERIES

  • 27

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    દરવર્ષે દેશના ખૂણે ખૂણેથી અને દુનિયાભરમાં હિન્દુ ધર્મ પર આસ્થા રાખનારા હજારો લોકો અહીં આવે છે અને તેમનો અંતિમ સમય બનાવે છે. અંગ્રેજોના જમાનામાં બનેલી આ ધર્મશાળામાં 12 રૂમ બનાવેલા છે. આ સાથે એક મંદિર અને પૂજારી પણ છે. આ રૂમમાં માત્ર તેવા લોકોને જ રહેવાની જગ્યા આપવામાં આવે છે કે જે મોતથી એકદમ નજીક હોય છે. મોતની રાહ જોનારો દરેક વ્યક્તિ અહીં 2 અઠવાડિયા સુધી રૂમમાં રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    દરરોજના 75 રૂપિયા સિવાય પૈસાદાર લોકો માટે એક ગાયક મંડળી પણ છે. તેમાં સ્થાનિક ગાયક છે જે ઇશ્વર અને મોક્ષના ગીતો સંભળાવે છે. તેનાથી બીમારોને દર્દમાં રાહત રહે છે.

    MORE
    GALLERIES

  • 47

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    રૂમનું રોજનું ભાડું 75 રૂપિયા છે. તેમાં ઊંઘવા માટે એક ખાટલો, ચાદર અને તકિયો હોય છે. સાથે જ પીવાના પાણી માટે ઋતુ અનુસાર ઘડો કે કળશ રાખવામાં આવે છે. ગેસ્ટ હાઉસમાં આવનારા લોકોને ઓછામાં ઓછા સામાન સાથે અંદર આવવાની મંજૂરી આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 57

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    અહીં પૂજારી દરરોજ સવાર-સાંજની આરતી પછી અહીંના લોકો પર ગંગાજળ છાંટે છે, જેથી તેમને શાંતિથી મુક્તિ મળી શકે.

    MORE
    GALLERIES

  • 67

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    નક્કી કરેલા ચોક્કસ સમય એટલે કે 2 અઠવાડિયામાં મોત ન થાય તો બીમાર વ્યક્તિએ રૂમ અને મુક્તિભવન પરિસર છોડવું પડે છે. ત્યારબાદ સામાન્ય રીતે લોકો બહાર ધર્મશાળા કે હોટેલમાં રોકાઈ જાય છે. જેથી તેમનું કાશીમાં મોત થાય. થોડા સમય બાદ બીજીવાર મુક્તિભવનમાં જગ્યા મળી શકે છે, પરંતુ એકવાર રહી ચૂકેલા વ્યક્તિને તેની પસંદગીની જગ્યા નથી મળતી.

    MORE
    GALLERIES

  • 77

    આ છે મરવા માટેની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી સ્પેશિયલ મરવા આવે છે! જાણો કારણ સહિત તમામ માહિતી

    એવું માનવામાં આવે છે કે, કાશીમાં મોત થાય તો સીધો મોક્ષ મળે છે. પહેલાંના સમયના લોકો એવું કહેતા હતા કે, કાશી કરવા જઈ રહ્યા છીએ તો તેનો મતલબ એવો થાય કે પાછા ફરવાની શક્યતા બહુ ઓછી છે. પહેલાં મુક્તિભવનની જેમ અહીં ઘણાં ભવન હતાં. પરંતુ સમય જતાં વારાણસીના મોટાભાગના આવા ભવન કમર્શિયલ થઈ ગયા છે અને હોટેલની જેમ રૂપિયા લે છે. આ જગ્યાઓમાં મુક્તિભવનથી વિપરિત રૂપિયા આપીને જેટલું રહેવું હોય તેટલું રહી શકાય છે.

    MORE
    GALLERIES