Janmasthmi 2021 : આજે જન્માષ્ટમી (Janmasthmi) છે. કોરોનાના કારણે ઠેર ઠેર સાદગીપૂર્ણ કૃષ્ણજન્મોત્સવ (Krishna Janmotsav) યોજવામાં આવી રહ્યો છે. ભગવાન વિષ્ણુએ આ ધરતી પર અનેક અવતાર લીધા. તેમના દરેક અવતારની એક ખાસિયત અને મહિમા છે, પરંતુ સૌથી મોહક અને સૌથી વધુ લોકપ્રિય અવતારની વાત કરીએ તો તે છે - ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna). કૃષ્ણને લોકો ભગવાન કરતા વધારે મનુષ્ય માને છે, કારણ કે તેમણે મનુષ્ય જીવનની તમામ મુશ્કેલીને સમજી છે અને અનુભવી છે. આ કારણથી શ્રીકૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો યુવાનો માટે આ યુગમાં પણ ઘણી મહત્વપૂર્ણ છે. જન્માષ્ટમીના પાવન દિવસે કૃષ્ણ (Krishna Janmasthmi) પાસેથી આ વાતો શીખીને તમે પણ સફળ બિઝનેસમેન (Bussiness) બની શકો છો.
આપણે બધાએ શ્રીકૃષ્ણ અને સુદામાની કહાની તો સાંભળી હશે. કૃષ્ણ જેવો સાચો મિત્ર કદાચ જ આજના યુગમાં મળે, પરંતુ જો કોઈ બિઝનેસમેન સાચો સાથી શોધી લે તો તેને બિઝનેસ કરવામાં સરળતા રહેશે અને મિત્રની મદદ પણ મળી રહેશે. પરંતુ તે ત્યારે શક્ય બને જ્યારે તમારે પણ કૃષ્ણ જેવા મિત્ર બનવું પડે. દોસ્ત તે જ હોય છે જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તમારો સાથે આપે.
જરૂરી ગુણો પર મહારથ હાસિલ કરવી - કૃષ્ણ એક શિક્ષક છે, એક કલાકાર, એક યોદ્ધા, એક ઉપદેશક, જ્ઞાનનો મહાસાગર, એક શિક્ષાર્થી અને એક સાચો પ્રેમી હતો. જેથી કૃષ્ણને તમામ ગુણોના મહારથી કહેવામાં આવે છે. સફળ બિઝનેસમેન બનવા માટે કેટલાએ ગુણોમાં માસ્ટર હોવું જરૂરી છે, કારણ કે તમે એક સાથે કેટલીએ ભૂમિકામાં હોઈ શકો છો. અને નાનાથી મોટા તમામ કામ પર ધ્યાન આપવું પડે છે.
શ્રીકૃષ્ણનું જીવન સામાન્ય લોકોની જિંદગીથી ઘણું સરખુ છે. તેમણે પોતાનું બાળપણ ગોકુલ ગામની ગલીઓમાં ખુબ સહજતાથી વિતાવ્યું, ત્યાંથી બાદમાં તેમને કિંગશિપ મળી, મહત્વની વાત એ છે કે, તો પણ તેમનામાં તલમાત્ર પણ અહંકાર ન હતો. આવું જ એક યુવા બિઝનેસમેનમાં હોવું જોઈએ. પોતાના બિઝનેસમાં સારા પૈસા કમાયા બાદ અહંકાર ન આવવો જોઈએ.
પ્રભાવશાળી રીતે પોતાની વાત સમજાવવી - કૃષ્ણ બાળપણથી જ સારા વક્તા અને પ્રવક્તા હતા. તેમની સભા અને ઉપદેશ સાંભળવા માટે લોકો ઉતાવળા રહેતા હતા. આવા જ ગુણ બિઝનેસમેનમાં હોવા જોઈએ, તમારે તમારા મેસેજ અને વિચાર બીજા લોકો સામે સારી રીતે વ્યક્ત કરવાનું શીખવું જોઈએ. સારા કમ્યુનિટર હોવાથી તે પોતાના ક્લાઈન્ટ સુધી પોતાની વાત પહોંચાડી શકે છે.
કર્મમાં વિશ્વાસ કરવો, कर्मण्ये वाधिकारस्ते मां फलेषु कदाचन.. मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्व कर्मणि.. આ શ્લોક પર્યાપ્ત છે, એ સમજવા માટે કે મનુષ્યએ વ્યર્થ ચિંતાઓ ભૂલીને માત્ર પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ. બિઝનેસ સાહસિકોએ પણ કૃષ્ણની આ સલાહનું પાલન કરી મહેનતથી કામ કરવું જોઈએ, બાકી બધુ ઈશ્વર પર છોડી ખુશીથી જીવન વિતાવવું જોઈએ.