Home » photogallery » dharm-bhakti » Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

Laxmi Upay: શંખમાંથી નીકળનાર અવાજથી ઘરની અંદરની નકારાત્મકતા દૂર થાય છે. શંખ વાસ્તુ દોષ(Vastu Dosh)ને પણ નષ્ટ કરી શકે છે. તો ચાલો જાણીએ શંખ દ્વારા માતા લક્ષ્મી(Mata Lakshmi) કઇ રીતે પ્રસન્ન થાય છે અને શંખ અને માતા લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે.

  • 16

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    હિંદુ ધર્મમાં પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે. તેને માતા લક્ષ્મી(Goddesses Lakshmi)નો પણ એક ખાસ સંબંધ છે. મા લક્ષ્મી જગત પાલનહાર શ્રી હરિના પત્ની છે અને ધન-વૈભવ(Prosperity) અને સુખ(Happiness) પ્રદાન કરનારા છે. માન્યતા છે કે, જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા વરસી જાય તેમના જીવનમાં ક્યારેય ધન અને વૈભવ, સંપન્નતા, યશની કમી રહેતી નથી. પરંતુ તો માતા લક્ષ્મી રિસાય જાય તો તે રાજાને પણ રંક બનાવી દે છે. જો તમને પણ લાગે છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે તો તેમને મનાવવામાં શંખ (Conch Shell) તમારી મદદ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    હિન્દુ ધર્મમાં પૂજા પાઠ સમયે શંખનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, શંખમાંથી નીકળનાર અવાજથી ઘરની અંદરની નકારાત્મકતા દૂર થાય છે. શંખ વાસ્તુ દોષ(Vastu Dosh)ને પણ નષ્ટ કરી શકે છે. તો ચાલો જાણીએ શંખ દ્વારા માતા લક્ષ્મી(Mata Lakshmi) કઇ રીતે પ્રસન્ન થાય છે અને શંખ અને માતા લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે.

    MORE
    GALLERIES

  • 36

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    શા માટે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે શંખ?- પૌરાણિક માન્યતાઓ અનુસાર, માતા લક્ષ્મી અને શંખ બંને સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી નીકળ્યા હતા. તેથી શંખને માતા લક્ષ્મીના ભાઇ માનવામાં આવે છે અને તે જ કારણ છે કે તેમને શંખ અતિ પ્રિય છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ સદા રહે છે.

    MORE
    GALLERIES

  • 46

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    ધનવર્ષા કરશે શંખ પૂજા- એવી ધાર્મિક માન્યતા પણ છે કે, લોકો પોતાના ઘરોમાં દક્ષિણાવર્તી શંખ રાખે અથવા તેનો ઉપયોગ પૂજાપાઠમાં કરે તો તેમના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાઇ રૂપે નિવાસ રહે છે. દક્ષિણાવર્તી શંખ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તેનાથી ઘરમાં હંમેશા સમૃદ્ધી રહે છે.

    MORE
    GALLERIES

  • 56

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    શંખથી કરો લક્ષ્મી પૂજા- માતા લક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખનો પ્રયોગ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધી વધશે. શંખમાં જળ ભરીને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    શંખથી વધે છે યશ- પૌરાણિક માન્યતા અનુસાર દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. ઘરમાં સકારાત્મકતા આવવાની સાથે નોકરી અને બિઝનેસમાં પણ પ્રગતિ અને યશની પ્રાપ્તિ થાય છે.

    MORE
    GALLERIES