ધર્મ ડેસ્ક: આવનારા સમયમાં ગ્રહોની ચાલ બદલાઇ રહી છે. આ બદલાતી ચાલને ધ્યાનમાં રાખીને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ઓગષ્ટનાં રોજ ખાસ યોગ બની રહ્યો છે. આ ખાસ રાજયોગ 12માંથી 5 રાશિ માટે સૌથી વધુ ફાયદાકારક છે. આ રાશિ જાતકોની તમામ મનોકામના રાજયોગ પૂર્ણ કરશે. તેમને ધન સંબંધી ઘણાં ફાયદા પણ થશે. આ રાજયોગ સિંહ રાશિનાં જાતકો માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે.
મેષ- આપના માટે આ રાજયોગ ખુબજ શુભ છે. 9 ઓગસ્ટ બાદ તમને અચાનક ધનલાભ થશે. લાંબા સમયથી તમે જે તકલીફો સામે ઝઝૂમી રહ્યા હતા, તેનાથી હવે તમને છૂટકારો મળવા જઇ રહ્યો છે. તમને નવા અવસર મળશે, જે તમને સફળતાના રસ્તા તરફ લઈ જશે. આ યોગના બન્યા બાદ નવા લોકો સાથે મુલાકાત કરશો, જે તમને સાચી દિશા બતાવશે. વેપારીઓ માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે. ધનની વર્ષા થવાના પૂરેપૂરા યોગ છે.
સિંહ- આ રાજયોગ સિંહ રાશિનાં જાતકો માટે સૌથી સારો સાબિત થશે. તમારા ભાગ્યના દરવાજા ખૂલી જશે. તમારો શુભ સમય આરંભ થવાનો છે, અને જો તમે કોઈ યોજનાઓ બનાવી રાખી છે તો તેના પર કામ કરવાનું શરૂ કરી દો, લાભ થશે. માતા લક્ષ્મી ખુદ બંને હાથોથી તમારા પર કૃપા વરસાવશે. નોકરી કરનારાથી લઈને વેપારીઓ, બંનેને ધનલાભના યોગ બની રહ્યા છે. જો તમે લાંબા સમયથી જે પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છો, તો આ સમયે તમને તે પ્રાપ્ત થઈ જશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. દરેક કોઈ તમારો નિર્ણય જાણવા તેનું સૌભાગ્ય સમજશે. સાથે જ કોઈ ખુશખબરી મળી શકે છે.
વૃશ્ચિક- આ રાશિના લોકોને સૌથી મોટો ધનલાભ થશે. વેપારીઓને વેપારમાં ભારે ધનલાભની સંભાવના છે. તમારી કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં અચાનક નિખાર આવી શકે છે, જેનો તમને લાંબા સમય સુધી ફાયદો મળશે. આ યોગ બાદ તમને રૂપિયાની કોઈ કમી નહિ રહે. કિસ્મતનો ભરપૂર સાથ મળશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.
મીન- તમારો સમય શુભ રહેવાનો છે. કોર્ટ-કચેરીના મામલે તમારા હિતમાં નિર્ણય આવી શકે છે. સ્વાસ્થય સારું રહેવાનું છે. વેપારીઓને લાભ મળશે અને નોકરીવાળા લોકને ધનલાભના યોગ છે. આ દરમિયાન તમે કોઈ જરૂરિયાતમંદ લોકોને સહાય કરશો, જેનાથી મા લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ શકે છે. વેપારમાં સંબંધિત લાંબી મુસાફરી કરી શકો છો.