નબળા ગ્રહોને મજબૂત કરવા અથવા ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચવા માટે સોમવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ લાભકારક છે. ચાલો તમને જણાવીએ કે, સોમવારે કઈ સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
Monday Upay : સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી ભક્તને શુભ આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે.
2/ 8
સનાતન ધર્મમાં સોમવાર ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર બિરાજે છે. આ દિવસોના આશીર્વાદ મેળવવા માટે સોમવારે દાન કરવામાં આવે તો લાભકારક રહે છે.
विज्ञापन
3/ 8
શાસ્ત્રો અને પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દાન-પુણ્ય કરવાથી તમને આ જન્મમાં તમારા સારા કર્મોનું ફળ તો મળે જ છે, પરંતુ પરલોકમાં તમારું સારું સ્થાન પણ મળે છે.
4/ 8
ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. ભગવાન શિવને દૂધ ખૂબ જ પ્રિય છે. આ જ કારણ છે કે સોમવારે ભગવાન ભોલેનાથને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દૂધનું દાન કરવું ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.
5/ 8
જો તમે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો સોમવારે ચોખાનું દાન કરો. આનાથી તમારા બધા કામ પૂર્ણ થશે.
विज्ञापन
6/ 8
જો તમે આરોગ્યની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો સોમવારે ગરીબ અથવા કોઈપણ બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપાયથી ચંદ્ર દોષ દૂર થાય છે, સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
7/ 8
જો કે ચાંદી એક મોંઘી ધાતુ છે, પરંતુ તમે તમારી ક્ષમતા અનુસાર ચાંદીનું દાન કરી શકો છો. તેનાથી ચંદ્ર ગ્રહની કૃપા પ્રાપ્ત થઇ શકે છે, કારણ કે ચાંદી પર ચંદ્ર ગ્રહનું આધિપત્ય હોય છે.
8/ 8
પારિવારિક જીવનમાં સુખ-શાંતિ માટે સોમવારે ગરીબ બાળકોને ભેટ આપો. આમાં, તમે ખાવા-પીવાની વસ્તુઓ, કપડાં અથવા તમને જોઈતી અન્ય કોઈપણ વસ્તુ આપી શકો છો.