Home » photogallery » dharm-bhakti » ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

દાદાને નાગરવેલનાં પાનના વાઘા પહેરવામાં આવ્યા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

  • 15

    ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

    પ્રકાશ સોલંકી, બોટાદ : સુપ્રસિદ્ધ  સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમવાર દાદાને  વિવિધ અલગ અલગ પ્રકારની ઔષધીઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. તેમજ દાદાને નાગરવેલનાં પાનના વાઘા પહેરવામાં આવ્યા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.આજે શનિવાર હોવાથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

    બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ  સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર જ્યાં દેશ વિદેશથી હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યાં સાળંગપુર મંદિરે રોજના ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે.

    MORE
    GALLERIES

  • 35

    ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

    તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોઈ જેમાં  અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા  હોઈ છે.

    MORE
    GALLERIES

  • 45

    ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

    ધનુર માસમાં ભજન ભક્તિ માટેનો મહત્વનો માસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગણવામાં આવતો હોય છે. ત્યારે દાદાના ભક્તો દાદા સાથે જોડાયેલા રહે તેના માટે મદિર વિભાગ દ્વારા આજે  ધનુર માસના બીજો  શનિવારે  હોવાથી  આરોગ્ય લક્ષી દાદાને ખાસ અલગ અલગ પ્રકારની ઔષધિઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    ધનુર માસના બીજા શનિવારે સાળંગપુર કષ્ટભજનને કરાયો ઔષધિઓનો શણગાર, નાગરવેલના પહેરાવ્યા વાઘા

    જેમાં, ખાસ કરીને  નાગરવેલનાં પાનમાંથી બનાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા હતા . જ્યાં દાદાનો ભવ્ય શણગારના  દર્શન કરી હરીભક્તો ધન્ય થયા હતા .તેમજ આજે શનિવાર હોવાથી  મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન  કરવા માટે ઉમટી પડ્યા હતા .

    MORE
    GALLERIES