Home » photogallery » dharm-bhakti » Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

ચૈત્ર નવરાત્રીની મહાષ્ટમી 29મી માર્ચે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ ઘણી રીતે ઘણી ખાસ રહેવાની છે કારણ કે આ વખતે મહાઅષ્ટમી પર ગ્રહોનો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે. ગ્રહોનો આ શુભ સંયોગ 700 વર્ષ પછી બનશે.

  • 18

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    Chaitra Navratri 2023 : 22 માર્ચે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખાસ મહત્વ છે. ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેવામાં ચૈત્ર નવરાત્રીના દિવસથી હિંદુ નવ વર્ષની પણ શરૂઆત થઇ ચુકી છે. તેવામાં હવે મહાઅષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 28

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    જણાવી દઇએ કે, આ વખતે મહાઅષ્ટમી 29 માર્ચે છે અને આ દિવસે 6 મોટા ગ્રહો ચાર રાશિઓમાં પ્રવેશ કરશે. જેનાથી મહાસંયોગ બનવા જઇ રહ્યો છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ પર મહાસંયોગ વિશે, તેમજ કઇ રાશિઓ માટે મહા અષ્ટમીનો સંયોગ શુભ માનવામાં આવી રહ્યો છે. ગ્રહોનો આ શુભ સંયોગ 700 વર્ષ પછી બનશે.

    MORE
    GALLERIES

  • 38

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ પર બની રહ્યાં છે મહાસંયોગ: અત્યારે ગુરુ તેની રાશિ મીનમાં છે અને 28મી માર્ચે તે મીન રાશિમાં અસ્ત કરશે. તે જ સમયે, બુધનું ગોચર પણ મેષ રાશિમાં થવાનું છે. સૂર્ય પણ મીન રાશિમાં બિરાજમાન છે, શનિ તેની કુંભ રાશિમાં બિરાજમાન છે.

    MORE
    GALLERIES

  • 48

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    જ્યારે શુક્ર મેષ રાશિમાં છે અને રાહુ પણ મેષ રાશિમાં બિરાજમાન છે. જેના કારણે ગ્રહોનો મહા સંયોગ થવાનો છે. માલવ્યની જેમ કેદાર, હંસ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે કઇ રાશિના જાતકોને મહા સંયોગ બનવાથી ફાયદો થશે.

    MORE
    GALLERIES

  • 58

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    મિથુન રાશિ: મિથુન રાશિના લોકો માટે મહા સંયોગ સારા સમાચાર લઈને આવ્યો છે. જેમના લગ્ન નથી થયા તેમના લગ્નના યોગ સર્જાઈ રહ્યાં છે. વિવાહિત જીવન સારું રહેશે. તમારા માટે તમામ ક્ષેત્રોમાં પ્રગતિની તકો બની રહી છે. તમારી ખુશીના બધા રસ્તા ખુલવાના છે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે.

    MORE
    GALLERIES

  • 68

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે રાજયોગ સારો રહેવાનો છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને જલ્દી જ સફળતા મળવાની છે. કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો થશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. નવા ક્ષેત્રોમાં તમારી રુચિ વધશે. તમને લાભ મળવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 78

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે એક મહાન સંયોગ નોકરી મળવાની સંભાવના લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે. વેપારના મામલામાં તમારે પ્રવાસ પર જવું પડી શકે છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. રોકાણના તમામ રસ્તા ખુલશે.

    MORE
    GALLERIES

  • 88

    Navratri 2023: મહાઅષ્ટમી પર 700 વર્ષ બાદ રચાશે ગ્રહોનો 'મહાસંયોગ', આ રાશિઓના આવશે 'અચ્છે દિન'

    મીન રાશિ: મીન રાશિના લોકોને સમાજમાં સન્માન મળશે. વેપાર કરનારાઓ માટે સારા દિવસો શરૂ થશે. તમને અચાનક નાણાંકીય લાભ મળી શકે છે. નોકરીમાં અચાનક બદલાવ આવી શકે છે. તમારા બધા અટકેલા કામ પૂરા થશે. તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો.

    MORE
    GALLERIES