તમારી આદતોનું તમારી પ્રગતિ સાથે કનેકશન જોડાયેલું છે. સારી આદત વ્યક્તિને સફળતા પ્રાપ્તિ માટે મદદ કરે છે. સ્વાસ્થ્ય સારું રહે છે જીવનમાં સકારાત્મકતા વધે છે. સારી આદતો ગ્રહને મજબૂત કરે છે અને એનો સારો પ્રભાવ પાડે છે. એનાથી વિપરીત ખરાબ આદત સ્વાસ્થ્ય બગાડે છે, ગ્રહો કમજોર કરે છે, જેનાથી ગ્રહ દોષ પેદા થાય છે અને એનાથી પ્રતિકૂળ પ્રભાવ પણ વ્યક્તિ પર પડે છે.
રસ્તા પર ચાલતા-ચાલતા થુંકવું: ઘણા લોકોને યાત્રા કરતી સમયે વારંવાર રસ્તા પર થુંકવાની આદત હોય છે. આ આદતના કારણે સૂર્ય ગ્રહ સાથે જોડાયેલ દોષ પેદા થાય છે. સૂર્ય દોષથી તમારા ધન, ધન્યમાં કમી, કાર્યોમાં અસફળતા, પિતા સાથે ખરાબ સબંધ વગેરેની સમસ્યા થાય છે. જેનો સૂર્ય કમજોર હોય છે, એમને એવી ગંદી આદત હોય છે. નોકરી અને કરિયરમાં પણ ગડબડ થઇ જાય છે.
છોડ-ઝાડને નુકસાન પહોંચાડવું: છોડ-ઝાડ હરિયાળી, સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. એમનો ગ્રહો સાથે પણ સબંધ હોય છે. જે લોકો છોડ ઝાડને નુકસાન પહોંચાડે છે, એમનો બુધ ગ્રહ કમજોર હોય છે. એનાથી બિઝનેસ અને કરિયરમાં પ્રગતિ થતી નથી. ધન હાનિનો યોગ બને છે. પીપળ, લીંબડો, તુલસી, વડ, શમી, બિલ, આંબો વગેરે જેવા ઝાડને નુકસાન પહોંચાડવું જોઈએ નહિ. આ બધા દેવ વૃક્ષ છે.
કિચન અને પૂજા ઘરનું ગંદુ હોવું: જે લોકો પોતાનું ઘર અને પૂજા ઘર ગંદુ રાખે છે, એમનો મંગળ અને ગુરુ ગ્રહ કમજોર હોય છે. કિચનમાં મંગળ ગ્રહ અને પૂજા ઘર સાથે ગુરુનો સબંધ હોય છે. આ બંને ગ્રહોનો દોષ હોવા પર કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે, શિક્ષામાં બાધા આવે છે, વિવાહ, દામ્પત્ય જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઇ સકૈં છે. ગંદુ કિચન અને પૂજા ઘર વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.