મનુષ્યના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, જેમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ ઘણા પ્રકારના ઉપાયો અપનાવે છે. આ ઉપાય વ્યક્તિને માત્ર મુશ્કેલીથી છુટકારો જ નહિ પરંતુ એમની કુંડળીમાં હાજર ગ્રહની સ્થિતિમાં પણ સુધાર કરી આગળના જીવનને સારું બનાવવામાં મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ છે, જેનો સબંધ અલગ-અલગ ગ્રહ સાથે માનવામાં આવે છે. આઓ ભોપાલના રહેવા વાળા જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે જાણીએ કે અઠવાડિયાના 7 દિવસ કયા સરળ ઉપાય કરવા જોઈએ.
સોમવારના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારને ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખરાબ હોય, તો તે વ્યક્તિ ઘણીવાર બીમાર રહે છે, જેમાં સંધિવા, આંખની સમસ્યાઓ અને શરદીનો સમાવેશ થાય છે. ચંદ્રના દોષને દૂર કરવા માટે સોમવારે શિવલિંગ પર જળ અથવા દૂધ મિક્ષ કરીને અભિષેક કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ તમારી પરેશાનીઓને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
મંગળવારના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનો સંબંધ મંગળવાર સાથે માનવામાં આવ્યો છે. મંગળને ક્રૂર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જેની અસર વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. મંગળને અનેક રોગોનો પિતા પણ માનવામાં આવે છે. આ ગ્રહની શાંતિ માટે મંગળવારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ. આ સિવાય અડદ, મગ અને તુવેરની દાળ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ.
શનિવારના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શનિદેવ મનુષ્યને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. કુંડળીમાં નબળા શનિને મજબૂત કરવા માટે, ભગવાન શિવને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરવું જોઈએ. આ સિવાય પીપળના ઝાડના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ. દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારના દિવસે અડદની દાળની ખીચડી ખાવી અને જરૂરિયાતમંદોને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.