ધર્મ ભક્તિ: કુટુંબ એ જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકીનું એક છે, કારણ કે તેજ તમારી મુશ્કેલીના દિવસોમાં તમારી સાથે મક્કમતાથી ઉભા રહે છે અને તમે ખુશ હોવ ત્યારે તમને હેરાન કરી મૂકે છે. તેમ છતાં તમે જે કુટુંબમાં જન્મ્યા છો તેનું જેટ્લુ મહત્વ છે, તેટલું જ જે કુટુંબમાં લગ્ન કરો છો તેનું પણ છે. ઘણા લોકો તેમના સાસરિયાઓ બાબતે ખુબ ચિંતા કરતા હોય છે. જો તમારી પાસે આ રાશિની વ્યક્તિ તમારી સાસુ તરીકે હોય, તો તમારા ઘરનું વાતાવરણ ખરેખર ખુશ રહેશે. કન્યાથી લઈને મિથુન સુધી, આ રાશિની સ્ત્રીઓ દયાળુ અને સૌથી નરમ દિલની સાસુ બને છે.
મિથુન- ઘણી વખત માનવામાં આવે છે કે દયા એ એક એવો ગુણ જેનું ખાસ સન્માન થતું નથી, તેમ છતાં મિથુન રાશિના લોકોમાં આ આગવો ગુણ હોય છે. તેઓ તેમનો ઘણો સમય પુત્રવધૂ સાથે વિતાવે છે અને વહુ તેમના જીવનમાં આવે ત્યારે તેમને યોગ્ય અવકાર મળે અને પરિવારમાં સરળતાથી સામેલ તાઈ જાય તે માટે તેઓ બનતા સઘળા પ્રયાસો કરે છે. તેઓ ઘણીવાર અન્ય વ્યક્તિની સુવિધા માટે ઘરના નિયમોમાં ફેરફાર પણ કરશે, જે એક ખાસ બાબત છે.
કન્યા- આ રાશિમાં જન્મેલા લોકો અત્યંત સમજદાર અને વિચારશીલ હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ તેમના 40 અને 50 ના દાયકામાં પ્રવેશ કરે છે. તેઓ એકંદરે સુખ શાંતિ માટે નાના ઝઘડાઓને છોડી દે છે, જે ઘરમાં એક સુમેળભર્યા વાતાવરણને નિર્માણ કરે છે. જ્યાં દરેક સભ્યને તેઓ જેવા છે તેવા જ સ્વીકારવામાં આવે સહ અને તેમનો આદર પણ થાય છે. બહુ ઓછા લોકો પાસે એવો દ્રષ્ટકોણ હોય છે, જે તેમને તેમના શબ્દોથી લોકોને આહત કરવાનું ટાળવામાં મદદ કરે છે, પરંતુ કન્યા રાશિના લોકો આ ખુબ સાર રીતે કરે છે.
ધન- અગ્નિની નિશાની એવા ધનુરાશિના લોકો અન્ય રાશિના લોકો કરતાં ઘણી વખત વધુ સ્વાર્થી હોય છે. જો કે, તેઓ વારંવાર તેમના પોતાના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખે છે, જે તેમના બાકીના જીવન માટે શીખ સમાન બની જાય છે. કદાચ આ જ કારણ છે કે તેઓ પોતાની સાસુઓ કરતાં વધુ સારી સાસુ બનવાના પ્રયાસ કરે છેઅને તેમની વહુઓ પ્રત્યે અત્યંત દયાળુ હોય છે.