Home » photogallery » dharm-bhakti » Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

Astrology: આપણા શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં કેટલાક નિયમો બનાવાયા છે સાથે જ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીના સંબંધો માટે વ્યક્તિએ કેટલીક તિથિઓ, નક્ષત્રો અને દિવસોનો ત્યાગ કરવો જોઈએ.

  • 18

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણા શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં આ બાબતે કેટલાક નિયમો બનાવાયા છે સાથે જ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીના સંબંધો માટે વ્યક્તિએ કેટલીક તિથિઓ, નક્ષત્રો અને દિવસોનો ત્યાગ કરવો જોઈએ. આ તિથિઓમાં સંબંધો બાંધવાથી બાળકના જીવન, ગુણો અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. આવું કરવાથી બાળક ન માત્ર આ દુનિયા પણ પરલોકમાં પણ કષ્ટ ભોગવે છે. માટે જ કોઈપણ વ્યક્તિએ આ તિથિઓમાં જાતીય સંભોગ કરવો ટાળવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 28

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ દિવસે સંબંધ બનાવવાથી થાય છે નુકસાન: શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ મહિનાની પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિએ પતિ-પત્નીએ સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ અને એકબીજાથી દૂર રહેવું જોઈએ. આની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી વિવાહિત જીવન પર નકારાત્મક અસર પડે છે અને પરિવારને પરેશાની અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓ પ્રબળ રહે છે અને આ દરમ્યાન સંભોગ કરવાથી સંબંધ, કારકિર્દી અને સંતાન પર વિપરિત અસર પડે છે, તેથી આ તિથિઓ પર સંબંધો ન બાંધવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 38

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ દિવસે સંબંધ રાખવાથી થાય છે વિપરીત અસર: પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ મહિનાની ચતુર્થી અને અષ્ટમી તિથિ પર પણ પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોવો જોઈએ. ચતુર્થી અને અષ્ટમી તિથિ તેમજ રવિવારે પતિ-પત્નીએ શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં. આમ કરવાથી બાળકો અને કરિયર પર તેની વિપરીત અસર પડે છે અને વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

    MORE
    GALLERIES

  • 48

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ સમયે સંબંધ બાંધવાથી પિતૃ થાય છે નારાજ: 15 દિવસ સુધી ચાલનારા શ્રાદ્ધ પક્ષમાં પણ કેટલીક બાબતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. માનવામાં આવે છે કે આપણા પૂર્વજો આ સમય દરમ્યાન પૃથ્વી પરના તેમના સંબંધીઓની મુલાકાત લેવા આવે છે. આ દરમિયાન પિતૃઓની શાંતિ માટે પૂજા, હવન, તર્પણ વગેરે કરવામાં આવે છે, તેથી પિતૃપક્ષમાં તન, મન, કર્મ અને વાણીમાં શુદ્ધ રહેવું ખૂબ જ જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 58

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષમાં પતિ-પત્નીએ અંગત સંબંધ બાંધવાનો વિચાર પણ ન કરવો જોઈએ. આ સમયે બનેલા શારીરિક સંબંધથી પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને ઘરની સુખ-શાંતિમાં વિઘઅન પેદા થઈ જાય છે. એટલા માટે શ્રાદ્ધ પક્ષમાં પતિ-પત્નીએ એકબીજાથી દૂર રહેવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 68

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ દિવસે સંબંધ બાંધવાથી દેવી દેવતા થાય છે નારાજ: નવરાત્રીના નવ દિવસે માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો આ નવ દિવસ તો કેટલાક લોકો પહેલા અને આઠમા દિવસે વ્રત રાખે છે. નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર હોય છે અને ઘરોમાં કળશ સ્થાપના પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિના દિવસોમાં સ્ત્રી-પુરુષ વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની મનાઈ છે. આમ કરવાથી દેવી-દેવતાઓ ગુસ્સે થાય છે અને પરિવારમાં કલહ શરૂ થાય છે.

    MORE
    GALLERIES

  • 78

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ દિવસે સંબંધ બાંધવા હોય છે અશુભ: જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે, ત્યારે તે તારીખને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં સંક્રાંતિ પર સ્નાન, ધ્યાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એટલા માટે આ તારીખે સ્ત્રી અને પુરુષ વચ્ચે નિકટતા સ્થાપિત કરવી અશુભ છે. આમ કરવાથી તેમના સંબંધો પર નકારાત્મક અસર પડે છે અને તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

    MORE
    GALLERIES

  • 88

    Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    આ દિવસોમાં કરો બ્રહ્મચર્યનું પાલન: આ તિથિઓ સિવાય અન્ય કોઈપણ દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ પવિત્રતા અને શુદ્ધતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. શુદ્ધ મનથી કરેલી પૂજા જ ફળ આપે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસ કરનારે વ્રતના દિવસે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પવિત્ર તિથિઓ અને ઉપવાસના દિવસોમાં એકબીજાની નજીક જવું યોગ્ય નથી.

    MORE
    GALLERIES