Home » photogallery » dharm-bhakti » Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

Astro Tips 2023: ઘરમાં રહેલા મંદિરને સૌથી પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂજા સ્થાન પર કેટલાક ચિહ્નો લગાવવા પણ ખૂબ જ શુભ હોય છે જેનાથી ઘણા ફાયદા થાય છે અને બધા કામ શુભ થાય છે. જેને તમારા ઘરમાં લગાવવાથી તમારા દરેક કામ જલદી પાર પડશે, શુભ થશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઇ રહેશે.

विज्ञापन

  • 18

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    ઘરમાં રહેલા મંદિરને સૌથી પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. ઘરના પૂજા સ્થાનમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેમની રોજ મનથી પૂજા કરવાથી ઘરનું વાતાવરણ ખુશ અને સકારાત્મક રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું પૂજા સ્થળ હંમેશા ઈશાન દિશામાં હોવું જોઈએ. આ દિશામાં રહેલ મંદિર હંમેશા શુભ ફળ આપે છે.

    MORE
    GALLERIES

  • 28

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂજા સ્થાન પર કેટલાક ચિહ્નો લગાવવા પણ ખૂબ જ શુભ હોય છે જેનાથી ઘણા ફાયદા થાય છે અને બધા કામ શુભ થાય છે. આજે આ અહેવાલમાં અમે તમને એવા જ કેટલાક ચિહ્નો વિશે જણાવીશું જેને તમારા ઘરમાં લગાવવાથી તમારા દરેક કામ જલદી પાર પડશે, શુભ થશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઇ રહેશે.

    MORE
    GALLERIES

  • 38

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    1. ઓમનું પ્રતીક: ઘરના પૂજા સ્થાન પર કેસર અથવા ચંદનથી ઓમનું પ્રતિક બનાવો. માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર ઓમ બનાવીને તેનો જાપ કરવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. શુભ સંચારની સાથે પરિવારમાં ચાલી રહેલ તણાવ પણ દૂર થાય છે. કેસર અથવા ચંદનમાંથી બનાવેલ ઓમ સામાજિક અને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત લાવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

    MORE
    GALLERIES

  • 48

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    2. સ્વસ્તિક ચિહ્ન શુભ : પૂજા સ્થળ અને ઘરના મુખ્ય દરવાજા બંને પર હળદરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને નીચે શુભ લાભ લખવું. આ કરતા પહેલાં ધ્યાન રાખો કે આ સ્વસ્તિકનું પ્રતીક 9 આંગળીઓ જેટલુ લાંબુ અને પહોળું હોવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 58

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    વાસ્તુ અનુસાર આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. કરિયરમાં પ્રગતિની સંભાવનાઓ ઉજ્જળી બને છે.

    MORE
    GALLERIES

  • 68

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    3. શ્રીનું પ્રતિક: શ્રીનું પ્રતિક માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં શ્રીનું પ્રતિક બનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તમે તેને સિંદૂર અથવા કેસરથી બનાવી શકો છો. વાસ્તુ અનુસાર શ્રીનું પ્રતિક બનાવવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી રહેતી અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે છે. પૂજા સ્થાન પર શ્રીના પ્રતીકને કારણે માતા લક્ષ્મી પોતે ત્યાં નિવાસ કરે છે.

    MORE
    GALLERIES

  • 78

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    4. મંગળ કળશ કરશે મનોકામના પૂર્ણ: ઘરના પૂજા સ્થાન પર સિંદૂરથી મંગલ કળશની નિશાની કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ નિશાની ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે અને તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. વાસ્તુ અનુસાર મંગળ કળશને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ ધનનો પ્રવાહ પણ સ્થિર રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે.

    MORE
    GALLERIES

  • 88

    Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે

    5. ઘરે બનાવો ગાયના ખુર : પૂજા ઘરમાં ગાયના ખુર અને લક્ષ્મીના ચરણ-પગલાં બનાવો. તેને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. ગાયનું ખુર બનાવવાથી ઘરમાં દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને તમારા દરેક કાર્ય શુભ બને છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

    MORE
    GALLERIES