સંગમ શહેર પ્રયાગરાજમાં લાગવા જઈ રહેલા કુંભ મેળામાં પહોંચી રહેલા કેટલાએ સાધુ સંતો લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે છેલ્લા કેટલાક વર્ષથી સળંગ એક પગ પર ઉભા રહેલા ખડેશ્વરી બાબા પણ આમાંના જ એક છે. ખડેશ્વરી બાબા છેલ્લા ચાર વર્ષમાં એક પળ માટે પણ બેઠા નથી અને ઊંઘ્યા પણ નથી અને આખો દિવસ માતેર એક પગ પર જ ઉભા રહે છે.
હઠયોગી રૂપગિરી જી મહારાજ નાગા સંન્યાસીઓના જુના અખાડા સાથે જોડાયેલા છે. ધર્મગ્રંથો અનુસાર, જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઉભા રહેવાનો સંકલ્પ કરનારા સાધુઓને ખડેશ્વરી કહેવામાં આવે છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ સાધના માનવામાં આવે છે. હવે મહંત રૂપગિરી પ્રયાગરાજના કુમ્ભ મેળામાં લોકોના ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.