Home » photogallery » dang » ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

ગાંડા કાકા 92 વર્ષની વયે આહવાના સ્વરાજ આશ્રમ ખાતે દેવલોક પામ્યા છે. ત્યારે આજે સમગ્ર ડાંગમાં શોકનો માહોલ છવાયો છે.

विज्ञापन

  • 15

    ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

    આહવા: દાંડીનાં દીવડાં સ્વરૂપે શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરુજી ગાંડા કાકાનું આજે નિધન થયું છે. ડાંગ જિલ્લામાં વસતા દરેક આદિવાસીઓ જેમને 'ગુરુજી' ના નામે જાણતા હતા. ગાંડા કાકાનુ આજે 92 વર્ષની જૈફ વયે આહવા સ્વરાજ આશ્રમ ખાતે નિધન થતા આખા પંથકમાં શોકનો માહોલા છવાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

    આજીવન ખાદીધારી બાળ સ્વતંત્ર્ય સેનાની ગાંડા કાકાનું 92 વર્ષની જૈફ વયે ડાંગમાં નિધન થયુ છે. તેમણે દાંડીના આદિવાસી લોકો માટે સેવા અને શિક્ષણની શરુઆત કરી હતી. હાલ ડાંગમા વસતા તમામ આદિવાસી જેમને ગુરુજીના નામે ઓળખે છે તે ગાંડા કાકા 92 વર્ષની વયે આહવાના સ્વરાજ આશ્રમ ખાતે દેવલોક પામ્યા છે. ત્યારે આજે સમગ્ર ડાંગમાં શોકનો માહોલ છવાયો છે. ગાંડકાકા ની આત્માને શાંતિ મળે તે માટે ઈશ્વર ને પ્રાર્થના સાથે ડાંગ ના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ શોક સંદેશ પાઠવ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

    બાળ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઓળખાતા ગાંડાભાઈ છનાભાઈ પટેલનો જન્મ તા.8/2/1931 ના રોજ દાંડી ગામે થયો હતો. સને 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ મળેલા સ્વરાજ્યને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ થયો હતો.

    MORE
    GALLERIES

  • 45

    ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

    આ દરમ્યાન છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકનુ ડાંગમા આગમન થયુ. આ દરમ્યાન 1948માં ટૂંક સમયમા જ ઘેલુભાઈ નાયક વધુ અભ્યાસ અર્થે બહારગામ ભણવા ગયા અને છોટુભાઈ એકલા પડ્યા. તે સમયે ડાંગમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી.

    MORE
    GALLERIES

  • 55

    ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષની જૈફ વયે નિધન

    ઘણી બધી મુશ્કેલીઓ હતી અને શિક્ષણ તથા સેવાનું કાર્ય પણ આગળ વધારવાનુ હતુ. તેથી આ પ્રકારના કાર્યો માટે પ્રમાણિક અને નિષ્ઠાવાન ઉત્સાહી યુવાન કાર્યકરોની જરૂરિયાત ઉભી થઇ. જે બાદ ગાંડાભાઈ પટેલ કાજલી, ફણસા, ઉમરગામ વિસ્તારમા અગાઉ આ જ પ્રકારની સેવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી, શ્રી છોટુભાઈ નાયકે ગાંડાભાઈ પટેલ, અને પોતાના મોટા ભાઈ શ્રી ધીરુભાઈ નાયકને ડાંગ વિસ્તારમા કામ કરવા માટે, પોતાની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો અને ખાસ આમંત્રણ આપ્યું હતુ.

    MORE
    GALLERIES