Home » photogallery » ક્રિકેટ » આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

બીસીસીઆઈ (BCCI)ના તાજેતરના વાર્ષિક કરારમાં આવા સીનિયરને દુર કરવામાં આવતા ઘણી ચર્ચા જાગી છે.

  • 15

    આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

    તાજેતરમાં બીસીસીઆઇ (BCCI)એ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ઘણા સિનિયર ખેલાડીઓ પોતાની જગ્યા બનાવી શક્યા નથી. જ્યારે કેટલાક યુવા ખેલાડીઓને સારા પ્રદર્શન બદલ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાને રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની સાથે એ+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ હાર્દિક પંડ્યા પણ કેટેગરી Cમાંથી એમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

    ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓને પહેલા C કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અલબત્ત, બીસીસીઆઈ (BCCI)ના તાજેતરના વાર્ષિક કરારમાં આવા સીનિયરને દુર કરવામાં આવતા ઘણી ચર્ચા જાગી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ટીમનો માત્ર ભાગ રહેલા ઈશાંત શર્માને આ વખતે કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ટી-20 ટીમનો ભાગ રહેતા બોલર ભુવનેશ્વરને પણ બાકાત રાખવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

    ભુવનેશ્વર કુમાર લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહ્યો હતો. ત્યારબાદ ટી-20 ટીમમાં પરત ફર્યો હતો. તેણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી -20 વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું. ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ટીમમાં પણ તેનું નામ હતું. ભુવનેશ્વર કુમાર નવેમ્બર 2022 ના આ પ્રવાસ પછી કોઈ મેચ રમ્યો નથી. તેણે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2022માં રમી હતી.

    MORE
    GALLERIES

  • 45

    આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

    ઇશાંત શર્માની વાત કરીએ તો તેની કારકિર્દી પણ ઇજાના કારણે સમાપ્ત થવાના આરે છે. લાંબા સમયથી ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ઇશાંતે છેલ્લે નવેમ્બર 2021માં ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદથી તે ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે તેની કારકિર્દી પૂરી થઈ હોવાના સંકેત મળે છે. આ પહેલા તેનું નામ B કેટેગરીમાં રાખવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત

    અહીં ઉલ્લેખનીય છે કે, ઇશાંત શર્મા ભારત તરફથી 105 ટેસ્ટ મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 311 વિકેટ લીધી છે અને તેનો શ્રેષ્ઠ દેખાવ 74 રન આપીને 7 વિકેટનો રહ્યો છે. 80 વન ડેમાં ઈશાંતે કુલ 115 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 14 ટી20માં તેની માત્ર 8 વિકેટ છે. આવી સ્થિતિમાં તેનું કરિયર જોખમમાં છે.

    MORE
    GALLERIES