Covid-19 in India, 20 July 2021: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) મામલે રાહતના સમાચાર આવ્યા છે. 125 દિવસ બાદ દેશમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સૌથી ઓછી (India Corona Cases) નોંધાઈ છે. આ ઉપરાંત 24 કલાકમાં 400થી ઓછા લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસનો મૃત્યુઆંક 111 દિવસ પછી સૌથી ઓછો નોંધાયો છે. નોંધનીય બાબત છે કે 16 દિવસમાં સોમવારે સૌથી વધુ કોરોના વેક્સીન (Covid Vaccination)ના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,093 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 374 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,11,74,322 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,18,46,401 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 52.67 લાખ લોકોને રસી આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)