Gujarat Night Curfew : રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat coronavirus Cases) કેસને કાબૂમાં લેવા માટે 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લદાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા કોરોના નિયંત્રણો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં જ્યના 8 મહાનગરો (Gujarat Night Curfew guideline) અને બે શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.<br /> રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10.00 વાગ્યા સુધી બેઠક ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં તમામ રપ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સમારંભ ખુલ્લામાં મહત્ત્મ 150 વ્યક્તિઓ તો બંધ સ્થળોએ જગ્યાના 50 ટકા ક્ષમતા સાથે (મહત્તમ 150ની કેપેસિટી)માં યોજી શકાશે.