અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણ (corona Vaccine) કાર્યક્રમ વચ્ચે કોરોનાના કેસમાં (Corona virsu cases) કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 9મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 96,861 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં 675 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે. આજે 484 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 179, અમદાવાદમાં 145, વડોદરામાં 107, રાજકોટમાં 79, આણંદમાં 13, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 17, ભરૂચ-ખેડામાં 15-15, કચ્છમાં 12, મહેસાણા, પંચમહાલમાં 8-8, દાહોદમાં 7, સાબરકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 5, જૂનાગઢમાં 8, અમરેલીમાં 3, જામનગરમાં 6, મહીસાગરમાં 4, ગીરસોમનાથમાં 3, નર્મદામાં 3, બનાસકાંઠા, પાટણમાં 2-2, અરવલ્લી,દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આમ કુલ 675 નવા કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં ગત 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ડોઝનું કુલ 17,13,467 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે કુલ 4,19, 798 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા 57,277 વ્યક્તિનું આજે રસી કરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ બધાની વચ્ચે રિકવરી રેટ 97.11 ટકાએ પહોંચી ગયો છે. પ્રતીકાત્મક તસવીર