અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 90 કેસ નોંધાયા છે. જેની સામે 304 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 (Covid19)ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10059 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.41 ટકા છે. અત્યાર સુધીમાં 2,56,77,991 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવી છે. આજે રાજ્યના રેકોર્ડબ્રેક 14 જિલ્લામાં કોરોનાના 0 કેસ નોંધાયા છે.