Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલ કરતા ધરખમ વધારો નોંધાયા છે. ગુજરાતમાં 23 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 23-06-2022) સ્થિતિ વધારે વણસી ગઇ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના કેસનો એક્ટિવ આંકડો 2000ની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 23 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 416 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 184 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 23 જૂનની સંધ્યાએ કોરોનાના 416 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 230 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશન 182, સુરત કોર્પોરેશન 56, વડોદરા કોર્પોરેશન 40, સુરત 34, રાજકોટ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 13, વલસાડ 12, ગાાંધીનગર કોર્પોરેશન 11, ગાાંધીનગર 08, જામનગર કોર્પોરેશન 7, કચ્છ 7, ભરૂચ 5, મહેસાણા, નવસારી, વડોદરા 03-03, અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, મોરબી, પાટણ 02-02, બનાસકાાંઠા, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે 23 જૂનની સાંજે કુલ 230 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 113 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 12, જામનગર કોર્પોરેશનમાં 7, વલસાડ 3, આણંદ 4, કચ્છ 5, અમદાવાદ 3, ગાંધીનગરમાં 08 દર્દી સાજા થયા છે.