Home » photogallery » બિઝનેસ » શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

SEBI Pan Aadhaar card Link: પાન આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તેવા શેરબજારના રોકાણકારોને 31 માર્ચ બાદ નુકસાન જઈ શકે છે. સેબીએ જણાવ્યું છે કે આવા ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સ 1 એપ્રિલથી કોઈ સોદા કરી શકશે નહીં.

  • 16

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો


    પાનકાર્ડને આધાર સાથે ફરજિયાત લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નજીક આવી રહી છે, ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ તમામ રજિસ્ટર્ડ એન્ટિટી, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટયૂશન્સ અને રોકાણકારોને સહભાગીઓ માટે માન્ય KYC પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 26

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

    SEBIએ જણાવ્યું હતું કે, "પાનકાર્ડ (PAN Card)એ સિક્યોરિટીઝ માર્કેટમાં તમામ ટ્રાન્જેક્શન્સ માટે કી આઇડેન્ટિફિકેશન નંબર અને KYC આવશ્યકતાઓનો ભાગ હોવાથી તમામ SEBI રજિસ્ટર્ડ એન્ટિટીઝ અને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સ (MIIs)એ બધા જ સહભાગીઓ માટે માન્ય KYC સુનિશ્ચિત કરવું જરૂરી છે."

    MORE
    GALLERIES

  • 36

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

    સેબીએ એમ પણ જણાવ્યું હતું કે, “બધા રોકાણકારોએ સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રાન્જેક્શન્સ માટે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના પરિપત્રનું પાલન ન કરવાના પરિણામોને ટાળવા માટે 31 માર્ચ પહેલાં તેમના PANને આધાર નંબર સાથે લિંક કરવા જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 46

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

    જે ખાતાધારકોએ આધાર અને પાનકાર્ડની લિંક નહીં કર્યું હોય તેને બિન-KYC સુસંગત ગણવામાં આવશે અને જ્યાં સુધી PAN અને આધાર લિંક ન થાય ત્યાં સુધી સિક્યોરિટીઝ અને અન્ય ટ્રાન્જેક્શન પર નિયંત્રણો લાદવામાં આવી શકે છે.”

    MORE
    GALLERIES

  • 56

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

    સેબીએ જણાવ્યું હતું કે, આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈ અનુસાર તેવા દરેક વ્યક્તિ કે જેને PAN ફાળવવામાં આવ્યો છે, તે પોતાના આધાર નંબરને નિર્ધારિત સત્તાધિકારીને જણાવવો ફરજીયાત છે, જેથી આધાર અને PANને લિંક કરી શકાય. સેબીએ ઉમેર્યું હતું કે, "આ કામ નિર્ધારિત તારીખે અથવા તે પહેલાં પૂર્ણ કરવું જરૂરી છે, જો તેમ ન થયું તો PAN નિષ્ક્રિય થઈ જશે."

    MORE
    GALLERIES

  • 66

    શેરબજારમાં રુપિયા રોકો છો? તો આટલું કરી લેજો નહીંતર લે-વેચ નહીં કરી શકો

    CBDTના 30 માર્ચ, 2022ના પરિપત્ર મુજબ, જો કોઈ વ્યક્તિને ફાળવવામાં આવેલ PAN 31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક કરવામાં ન આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. તેમજ તે વ્યક્તિ આવકવેરા કાયદા 1961 હેઠળના PAN ન આપવા, જાણ ન કરવા અથવા પાનકાર્ડ વિગતો ટાંકવા બદલ પરિણામો માટે જવાબદાર રહેશે.

    MORE
    GALLERIES