Home » photogallery » બિઝનેસ » કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

Adani Group Block Deal: અદાણી ગ્રુપમાં ગુરુવારે થયેલી 15 હજાર કરોડની બ્લોક ડીલ મામલે જે એસેટ મેનેજરનું નામ આવ્યું છે તે GQG કંપનીના સીઈઓ રાજીવ જૈન કોણ છે?

  • 19

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી બારે ઉછાળો આવ્યો છે. તેમાં પણ ગુરુવારે જોરદાર ઉછાળા સાથે અદાણી ગ્રુપની જુદી જુદી ચાર કંપનીઓમાં બ્લોક ડીલ પણ જોવા મળી છે. જોકે ગઈકાલે સવારે આ બ્લોક ડીલ થઈ ત્યારથી જ એવી ચર્ચા રહી છે કે આખરે અધધ કઈ શકાય તેટલા 15 હજાર કરોડ રુપિયા આ સમયે અદાણી ગ્રુપમાં કોણે રોક્યા?

    MORE
    GALLERIES

  • 29

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    અદાણી ગ્રુપે આજે માહિતી આપી છે કે જૂથમાં સામેલ કંપનીઓએ યુએસ સ્થિત એસેટ મેનેજર GQG સાથે રૂ. 15446 કરોડના સેકન્ડરી ઇક્વિટી ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યા છે. અથવા એમ કહો કે GQG એ અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂ. 15,000 કરોડથી વધુના શેર ખરીદ્યા છે.

    MORE
    GALLERIES

  • 39

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે એવા સમયે કોણ છે જેણે ગ્રુપ કંપનીઓમાં આટલી મોટી ખરીદી કરી છે જ્યારે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રુપ સામે જ્યારે કેટલાક આરોપો છે અને તેના વિશે સુપ્રીમ કોર્ટે પણ તપાસ સમિતિ બેસાડી છે ત્યારે બજારમાં ઘટતાં માર્કેટ કેપ વચ્ચે ગ્રુપની વ્હારે કોણ આવ્યું છે?

    MORE
    GALLERIES

  • 49

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    કોણ છે રાજીવ જૈન? અદાણી ગ્રુપ શેર વેચાણ દ્વારા રૂ. 15446 કરોડની રકમ એકત્ર કરવામાં સફળ રહ્યું છે. જીક્યુજી કંપની ડીલની બીજી બાજુ હતી. આ કંપનીના ચેરમેન અને સીઈઓ રાજીવ જૈન છે. જૈન જીક્યુજી પાર્ટનર્સના ચેરમેન પણ છે. તેની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે GQG પાર્ટનર્સ વ્યૂહરચનાઓ માટે પોર્ટફોલિયો મેનેજર તરીકે સેવા આપે છે.

    MORE
    GALLERIES

  • 59

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    કંપની ક્યારે શરૂ થઈ: રાજીવ જૈને જૂન 2016માં GQG પાર્ટનર્સ શરૂ કરી હતી. તેમની કંપનીને 2023 માટે મોર્નિંગસ્ટાર ફંડ મેનેજર ઓફ ધ યર (ગ્લોબલ ઇક્વિટીઝ)નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2002 થી વોન્ટોબેલ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટીના વડા તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી. તેઓ પદ પર રહેવા દરમિયાન પણ તેમને 2012 માં મોર્નિંગસ્ટાર ફંડ મેનેજર ઓફ ધ યર તરીકે સમ્માનિત કરાયા હતા.

    MORE
    GALLERIES

  • 69

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    ઇક્વિટી ડીલ્સમાં વિશેષતા: ઇક્વિટી સોદામાં સારી ડીલ્સને ઓળખવામાં તેમની કુશળતા માટે બજારમાં તેમની પ્રશંસા થાય છે. તેમના ટોચના ભારતીય શેરોમાં ITC, HDFC, RIL, ICICI બેન્ક, SBI, સન ફાર્મા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, HDFC AMC, JSW સ્ટીલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 79

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    ઇક્વિટી ડીલ્સમાં વિશેષતા: ઇક્વિટી સોદામાં સારી ડીલ્સને ઓળખવામાં તેમની કુશળતા માટે બજારમાં તેમની પ્રશંસા થાય છે. તેમના ટોચના ભારતીય શેરોમાં ITC, HDFC, RIL, ICICI બેન્ક, SBI, સન ફાર્મા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, HDFC AMC, JSW સ્ટીલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 89

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    800 થી વધુ સંસ્થાઓનું સંચાલન: કંપનીની વેબસાઈટ અનુસાર, GQG 800 થી વધુ સંસ્થાઓ માટે $88 બિલિયનથી વધુ સંપત્તિનું સંચાલન કરે છે. તેના ફંડ મેનેજર્સ 10 દેશોમાં કારોબાર કરે છે. આમ કંપનીનો કારોબાર બહોળા વિસ્તારમાં ફેલાયેલો છે.

    MORE
    GALLERIES

  • 99

    કોણ છે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15 હજાર કરોડ રુપિયાના શેર ખરીદનાર આ વ્યક્તિ?

    કંપનીની વેબસાઈટ પર રાજીવ જૈન જણાવે છે કે "અમારો ધ્યેય એકદમ સરળ છે, જે સમય જતાં અમારા ગ્રાહકોની મૂડી વધારવાનો છે. આ કરવા માટે, અમારે મુશ્કેલ બજારોમાં અસ્કયામતોનું રક્ષણ કરવાની અને વધતા બજારોમાં ભાગ લેવાની જરૂર છે. અમે રોકાણ માટે નવો અભિગમ બનાવ્યો છે.

    MORE
    GALLERIES