Home » photogallery » બિઝનેસ » વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના સત્તાવાર દસ્તાવેજોનું શું થાય છે? શું તેના અનુગામીએ આ દસ્તાવેજ સરકારી એજન્સીઓને સોંપવો જોઈએ? પાન કાર્ડ ( PAN card), આધાર કાર્ડ (Aadhaar Card), મતદાર આઈડી કાર્ડ (Voter ID card) અને પાસપોર્ટ (Passport) જેવા દસ્તાવેજો કેટલા સમય સુધી સાચવવા જોઈએ.

  • 16

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    આધાર દેશમાં વ્યક્તિની ઓળખ અને સરનામાનો સૌથી માન્ય દસ્તાવેજ બની ગયો છે. આ સાથે, બેંકિંગ વ્યવહારો, એલપીજી સબસિડી, પીપીએફ એકાઉન્ટ અને સરકારી શિષ્યવૃત્તિ જેવી યોજનાઓનો લાભ લેવા માટે પણ તે જરૂરી દસ્તાવેજ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એવી કોઈ સિસ્ટમ નથી કે કોઈના મૃત્યુ પછી આધાર આપમેળે નિષ્ક્રિય થઈ જાય. પરંતુ UIDAI અને ભારતના રજિસ્ટ્રાર જનરલ એક એવી મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે, જેમાં કાર્ડ ધારકના મૃત્યુ પછી તેના આધારને નિષ્ક્રિય કરી શકાય છે. ડેથ સર્ટિફિકેટ (Death Certificate) જારી થતાં જ આ કામ પૂર્ણ થઈ જશે. જો કે, આ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, નોમિનીએ તેના મૃત્યુ પછી બાયોમેટ્રિક લિંક દ્વારા આધારને લોક કરવો જોઈએ. આનાથી કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાશે. આ કામ UIDAIની વેબસાઈટ પરથી કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 26

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    પાન કાર્ડ (PAN Card) પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ બેંક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ અને ITR (Demat Accounts, ITR Filing) માં થાય છે. તેથી, તે જરૂરી છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેના તમામ ખાતા બંધ ન થાય ત્યાં સુધી, PAN સુરક્ષિત રાખવું જરૂરી છે. ITR ફાઈલ કરવા પર અથવા બાકી ટેક્સ જમા કરાવવા પર રિટર્ન મેળવ્યા પછી PAN આવકવેરા વિભાગને સોંપવું જોઈએ. આ કાયદેસર રીતે જરૂરી છે અને તમે આવકવેરા વેબસાઇટ પરથી સોંપણી અધિકારીનો સંપર્ક મેળવી શકો છો. તેને અરજી મોકલીને PAN સરન્ડર કરી શકાય છે.

    MORE
    GALLERIES

  • 36

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    વ્યક્તિના મૃત્યુ બાદ તેનું વોટર આઈડી કાર્ડ (voter ID) રદ કરવું જરૂરી છે. મતદારના નિયમો હેઠળ નોંધણીની જોગવાઈ અનુસાર, ફોર્મ 7 ભરીને મૃત્યુ પ્રમાણપત્ર સાથે સ્થાનિક ચૂંટણી કાર્યાલયમાં સબમિટ કરવાનું રહેશે અને નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 46

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    ડ્રાઇવિંગ લાઇસન્સ પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, પરંતુ એવી કોઈ વ્યવસ્થા નથી કે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર કરી શકાય. જો કે, વારસદારે સ્થાનિક આરટીઓ કચેરીને (RTO Office) આની જાણ કરવી પડશે અને તે વ્યક્તિના નામ પર નોંધાયેલ વાહન તેના નામ પર ટ્રાન્સફર કરાવવું પડશે.

    MORE
    GALLERIES

  • 56

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    નિષ્ણાતો કહે છે કે હાલમાં કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી, જ્યાં મૃત્યુ પછી તેના દસ્તાવેજો સરેન્ડર ન કરવા બદલ દંડ અથવા અન્ય કાર્યવાહી થઈ શકે. આમ છતાં, આ દસ્તાવેજોને નિષ્ક્રિય કરવા અંગેની માહિતી સંબંધિત એજન્સીઓને આપવી જોઈએ, જેથી તેનો દુરુપયોગ ન થઈ શકે. આજે દરેક કામ ઓનલાઈન થાય છે તેથી સાવચેતી રાખવી વધુ જરૂરી બની ગઈ છે.

    MORE
    GALLERIES

  • 66

    વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર, PAN, DL અને પાસપોર્ટનું શું થાય? શું સરેન્ડર કરવા જોઈએ?

    વર્તમાન નિયમ એવો છે કે જો કોઈનો પાસપોર્ટ (Passsport) સમાપ્ત થઈ જાય તો તે આપોઆપ અમાન્ય થઈ જાય છે. જો કે, આ હોવા છતાં, આ દસ્તાવેજોને સુરક્ષિત રાખો જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. હાલમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જ્યાં મૃત્યુ પછી સંબંધિત વ્યક્તિનો પાસપોર્ટ સરેન્ડર કરી શકાય. તે ચોક્કસ સમય મર્યાદા પછી આપમેળે અમાન્ય બની જાય છે.

    MORE
    GALLERIES