Home » photogallery » બિઝનેસ » શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

Ratan Tata birthday: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટા આજે 85 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. રતન ટાટા 1990થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા. ઓક્ટોબર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના ચેરમેન રહ્યા. તેમનો સરળ સ્વભાવ અને દૂરદર્શતાના કારણે તેઓ દરેક ભારતીયના આદર્શ છે.

  • News18 Hindi
  • |
  • | New Delhi, India

  • 16

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    રતન ટાટાને વિશ્વાસ છે કે, માનવતા અને પરોપકાર વિના બિઝનેસ ન કરી શકાય. દુનિયા તેમને લીજેન્ડ માને છે. રતન ટાટાએ તેમના જીવનને હંમેશા કેટલાક નિયમોને આધીન રાખ્યુ છે. આ નિયમોએ તેમને મહાન વ્યક્તિત્વ અને સફળ બિઝનેસમેન બનવામાં મદદ કરી છે.

    MORE
    GALLERIES

  • 26

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    રતન ટાટાનું માનવું છે કે, જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય નથી. એકવાર તેમણે કહ્યુ હતું કે, ‘મને તે કામ કરવામાં આનંદ આવે છે, જેના વિશે સામાન્ય માણસ વિચારે છે કે આ અશક્ય છે.’ 1 લાખ રૂપિયાની કિંમતની નેનો બનાવવા ની અશક્ય વાતને તેમણે સંભવ કરીને સાબિત કર્યુ કે કંઈ પણ અશક્ય નથી.

    MORE
    GALLERIES

  • 36

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    રતન ટાટાનું માનવું છે કે, જો તમે ઝડપથી આગળ વધવા માંગો છો, તો તમારે એકલા જ આગળ વધવું પડશે, જો તમે દૂર સુધી ચાલવા માંગો છો, તો સાથે ચાલો. ટાટાએ હંમેશા ટીમ વર્કને મહત્વ આપ્યુ અને આ જ કારણથી ટાટા ગ્રુપને ઊંચાઈઓ પર પહોંચાવ્યું.

    MORE
    GALLERIES

  • 46

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    રતન ટાટા ટીકાથી ડરનારા નથી. તેઓ મૂળમંત્ર છે, ‘લોકોની તરફથી ફેંકવામાં આવેલા પત્થરોને જમા કરો અને તેમનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરો.’

    MORE
    GALLERIES

  • 56

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    લીજેન્ડ ટાટાનું માનવું છે કે, મૌલિકતા જ સફળતાનો રસ્તો બનાવે છે. જે વ્યક્તિ અન્યની નકલ કરવાનો પ્રયાસ કરે છે, તે થોડા સમય માટે તો સફળ થાય છે, પરંતુ આ સફળતા વધારે ટકતી નથી.

    MORE
    GALLERIES

  • 66

    શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

    રતન ટાટા હંમેશા કહે છે કે, માણસની માનસિકતા જ નક્કી કરે છે કે તે સફળ થશે કે નહિ. તેમનું કહેવું છે કે, લોખંડને કોઈ જ તોડી શકતું નથી. પરંતુ તેને કાટ લાગી શકે છે. આ રીતે કોઈ વ્યક્તિને કોઈ અન્ય નહિ પણ પોતાની માનસિકતા જ નષ્ટ કરી દે છે.

    MORE
    GALLERIES