Home » photogallery » બિઝનેસ » Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

Post Office Saving Schemes: અમુક સ્કીમમાં તમે અમુક સમય સુધી પૈસા ઉપાડી શકતા નથી, જ્યારે અમુક સ્કીમમાંથી તમે ગમે ત્યારે બહાર નીકળી શકો છો. જો તમે પણ પોસ્ટ ઑફિસમાં રોકાણ કરી રાખ્યું છે તો તમારે પણ આ વાતો જાણી લેવી જરૂરી છે.

विज्ञापन

  • 17

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    નવી દિલ્હી. Post Office savings schemes: સુરક્ષિત રોકાણ કરવા માંગતા લોકો પોસ્ટ ઑફિસની વિવિધ નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા હોય છે. સમાજના એક વર્ગ વચ્ચે પોસ્ટ ઑફિસની સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સ ખૂબ જ પ્રચલિત છે. પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સ માટે અલગ અલગ શરતો અને નિયમો હોય છે. એટલે કે ધારો કે તમને પૈસાની જરૂર છે તો અલગ અલગ સ્કીમમાં પૈસા ઉપાડવા માટે અલગ અલગ નિયમ છે. અમુક સ્કીમમાં તમે અમુક સમય સુધી પૈસા ઉપાડી શકતા નથી, જ્યારે અમુક સ્કીમમાંથી તમે ગમે ત્યારે બહાર નીકળી શકો છો. જો તમે પણ પોસ્ટ ઑફિસમાં રોકાણ કરી રાખ્યું છે તો તમારે પણ આ વાતો જાણી લેવી જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 27

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    આ ખાતાઓ તમે ગમે ત્યારે બંધ કરાવી શકો: પોસ્ટ ઑફિસ સેવિંગ એકાઉન્ટને તમે ગમે ત્યારે બંધ કરાવી શકો છો. પોસ્ટ ઓફિસની અધિકૃત વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સેવિંગ એકાઉન્ટ ઉપરાંત સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ ખાતાના પણ તમે ગમે ત્યારે બંધ કરાવી શકો છો. જોકે, આ માટે તમારે અમુક ફી જરૂર ચૂકવવી પડશે.

    MORE
    GALLERIES

  • 37

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ: જો તમે પોસ્ટ ઑફિસમાં રિકરિંગ ડિપોઝિટ કરી છે તો ત્રણ વર્ષ બાદ તમે એકાઉન્ટને ગમે ત્યારે બંધ કરાવી શકો છે. તેમાં ફક્ત સેવિંગ બેંક એકાઉન્ટનો વ્યાજદર લાગૂ થશે.

    MORE
    GALLERIES

  • 47

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    MIS ખાતું: પોસ્ટ ઓફિસમાં મંથલી ઇન્કમ સ્કીમ (monthly income scheme) ખાતાને તમે એક વર્ષ બાદ બંધ કરાવી શકો છો. આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર ખાતાને તમે અઢી વર્ષ બાદ બંધ કરાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 57

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    પીપીએફ એકાઉન્ટ : જો તમે પોસ્ટ ઓફિસમાં પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ એકાઉન્ટ ખોલાવી રાખ્યું છે તો ઓછામાં ઓછા પાંચ વર્ષ બાદ જ તમે તેને બંધ કરાવી શકશો. યાદ રાખો કે પીપીએફ એકાઉન્ટ તમે ત્યારે જ બંધ કરાવી શકો છો જો તમને કોઈ ગંભીર બીમારી હોય, ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂરિયા હોય અથવા તમે એક એનઆરઆઈ છો.

    MORE
    GALLERIES

  • 67

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    સુકન્યા સમૃદ્ધિ ખાતું: દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરતી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું છે તો તમે તેને દીકરીની ઉંમર 18 વર્ષ (હવે લગ્નની ઉંમર 21 વર્ષ થઈ છે)ની થાય ત્યારે બંધ કરાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 77

    Post Office Schemes: પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સમાંથી ક્યારે બહાર નીકળી શકાય? જાણો શરતો

    નેશનલ સેવિંગ સ્કીમ: જો તમે પોસ્ટ ઓફિસમાં એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સ્કીમ ​NSC (VIII Issue) એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમે તેને પાકતી મુદત પહેલા બંધ નથી કરાવી શકતા. જો કે ખાતાધારકના મૃત્યુના ેસમાં તેને બંધ કરી દેવામાં આવે છે.

    MORE
    GALLERIES