નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક નાની બચત યોજના છે. તે પોસ્ટ ઓફિસ ચલાવે છે. એનએસસી સાથે જોડાયેલી સારી બાબત એ છે કે તમે ફક્ત 100 રૂપિયા જ રોકાણ કરી શકો છો. જેમ 100, 500, 2000 ની નોટો હોય છે તેમ એ પ્રકારે એનએસસીના પ્રમાણપત્રો પણ 100, 500, 1000, 5000 ના પ્રમાણપત્રો મળે છે. તેમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. તમે તમારી ક્ષમતા અનુસાર એનએસસી ખરીદી શકો છો. હાલમાં બચત બેંક ખાતા પર 4 ટકા વ્યાજ મળે છે. એનએસસીમાં 7.9 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.