Home » photogallery » બિઝનેસ » અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

Adani Group: અદાણી ગ્રુપના રોકાણકારો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અદાણી ગ્રુપે 4096 કરોડ રુપિયાની બ્રિજ લોન ચૂકતે કરી છે.

  • 16

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    અદાણી ગ્રુપ (Adani Group) ના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બ્લૂમબર્ગ (Bloomberg) ના રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપે 4096 કરોડ રૂપિયા (500 મિલિયન ડોલર)ની બ્રિજ લોનને ચૂકવી દીધી છે. આમ કરીને અદાણી ગ્રુપ તેના રોકાણકારોનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, મંગળવારના દિવસે આ લોનની ચુકવણી કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટ બાદ કેટલીક બેન્કોએ લોનને રિફાઇનાન્સ કરવા પર રોક લગાવી દીધી હતી. જેને લઈને અદાણી ગ્રુપના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને ભાગ ગગડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 26

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    રોકાણકારો કરી રહ્યા છે ભરોસો: રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીના નેતૃત્વવાળા આ ગ્રુપે રિપોર્ટ આવ્યાના બાદથી અત્યાર સુધીમાં લગભગ 2 મિલિયન ડોલરના શેર સમર્થિત લોનની ચુકવણી કરી છે. સાથે જ સમય પર બોન્ડની ચુકવણી કરી છે. આ જ સૌથી મોટું કારણ છે કે GQG પાર્ટનર્સના સ્ટાર રોકાણકાર રાજીવ જૈને 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

    MORE
    GALLERIES

  • 36

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    GQG પાર્ટનર્સ વધારી શકે છે રોકાણ: જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટર્સ કંપનીઓ પૈકીની એક GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં 15 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના શેર ખરીદ્યા છે. ત્યારે GQG પાર્ટનર્સે હવે સંકેત આપ્યા છે કે તેઓ અદાણી ગ્રુપની કંપનીઓમાં પોતાના રોકાણને વધારી શકે છે. આ વાતની જાણકારી GQG પાર્ટનર્સના રાજીવ જૈને આપી છે. એસેટ મેનેજરની ખરીદી બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટી ખરીદી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 46

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    તો બીજી તરફ અદાણી ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે, ગ્રૂપે એપ્રિલ 2025માં પરિપક્વ થનાર રૂ. 7,374 કરોડના ઇક્વિટી-બેક્ડ ફાઇનાન્સિંગનું પ્રીપેઇડ કર્યું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને રૂ. 7,374 કરોડની ચુકવણી કરીને પ્રમુખ કંપની અદાણી પોર્ટ્સના પ્રમોટર્સ 155 મિલિયન શેર ઇશ્યૂ કરશે, જે પ્રમોટર્સના હિસ્સાના 11.8 ટકા છે.

    MORE
    GALLERIES

  • 56

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    અદાણી ગ્રૂપ આ અગાઉ પણ શેર ગીરવે મુકીને લીધેલી લોન માટે લગભગ 2.016 બિલિયન ડોલરની ચૂકવણી કરી ચૂક્યું છે. ગત અઠવાડિયે, અદાણી ગ્રુપે રોકાણકારોને કહ્યું હતું કે તેના પર કુલ રૂ. 2.21 લાખ કરોડનું દેવું છે. જો આમાં રોકડનો સમાવેશ કરવામાં આવે તો ચોખ્ખું દેવું 1.89 લાખ કરોડ રૂપિયા થાય છે.

    MORE
    GALLERIES

  • 66

    અદાણી ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, ચૂકાવી રૂ. 4096 કરોડની બ્રિજ લોન

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES