Home » photogallery » બિઝનેસ » મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

Morgan Stanley on Bajaj Finance: જાણિતા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનું સ્પષ્ટપણે માનવું છે કે, આગામી ત્રીજા ક્વાર્ટરથી બજાજ ફાઈનાન્સનો શેર 40 ટકા સુધી ઉછળી શકે છે. જો તમારી પાસે હોય અથવા ખરીદવાનો વિચાર હોય તો અત્યારે જ સારો મોકો છે.

  • 19

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    વૈશ્વિક રિસર્ચ ફર્મ મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) બજાજ ફાઇનાન્સના (Bajaj Finance) શેર પર પોતાનું ઓવેરવેટ વલણ જાળવી રાખ્યું છે. આ દરમિયાન બજાજનો શેર 16 માર્ચે કડાકા સાથે ખુલ્યો છે.

    MORE
    GALLERIES

  • 29

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    40 ટકા અપસાઇડ ટાર્ગેટ જાળવી રાખ્યો: મોર્ગન સ્ટેનલીએ શેર દીઠ રૂ. 8,000ના ટાર્ગેટ સાથે શેર પર પોતાનો પોઝિટિવ દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે. આ ટાર્ગેટ તેના વર્તમાન બજાર ભાવથી 40 ટકા વધુ છે.

    MORE
    GALLERIES

  • 39

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ત્રીજા ક્વાર્ટરની તુલનામાં મોર્ગેજમાં સ્પર્ધાત્મક તીવ્રતા ઓછી થઈ છે અને વૃદ્ધિમાં વધારો થયો છે. તહેવારો પછીની સિઝન ધીમી પડ્યા બાદ બીટુબી સેલ્સ ફાઇનાન્સ બિઝનેસમાં પણ તેજી આવી છે.

    MORE
    GALLERIES

  • 49

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    વધુમાં જણાવાયું છે કે, કંપની નવી પહેલથી સંભવિત 1-2 ટકા સાથે 26-27 ટકાનો વધારો પ્રાપ્ત કરવાનો વિશ્વાસ ધરાવે છે અને વૃદ્ધિ કરતાં માર્જિનને પ્રાધાન્ય આપી રહી છે. મેનેજમેન્ટે Q4FY23 અને FY24માં તીવ્ર વધારા માટે ગાઇડન્સ આપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 59

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    જોકે, બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ કંપનીને વળતરમાં મદદ કરી શકે અને એસેટ્સ (RoA) પર 5 ટકા વળતરનો રિપોર્ટ કરી શકે તેવા કેટલાક પાસાને પણ ટાંક્યા છે.

    MORE
    GALLERIES

  • 69

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    અહી ઉલ્લેખનીય છે કે, આજે 09:17 કલાકે બજાજ ફાઇનાન્સનો શેર BSE પર 45.55 રૂપિયા (0.80) ટકાના ઘટાડા સાથે 5,683.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેર ઇન્ટ્રા-ડેમાં 5,739.95ની ઊંચી સપાટી અને રૂ. 5,678ની નીચી સપાટીને સ્પર્શ્યો છે.

    MORE
    GALLERIES

  • 79

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    AUM રૂ. 2.3 લાખ કરોડ થઈ: બજાજ ફાઇનાન્સની AUM ગત વર્ષે રૂ. 1.8 લાખ કરોડથી 27 ટકા વધીને રૂ. 2.3 લાખ કરોડ થઈ છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની AUMમાં 12,500 કરોડનો એટલે કે માત્ર 5.7 ટકાનો વધારો ક્વાર્ટર દર ક્વાર્ટર લેખે થયો છે.

    MORE
    GALLERIES

  • 89

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    તેના બિઝનેસ અપડેટ અનુસાર, કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની કસ્ટમર ફ્રેન્ચાઇઝીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક વધારો નોંધાવ્યો છે. ક્વાર્ટર દરમિયાન કસ્ટમર ફ્રેન્ચાઇઝીમાં 3.1 મિલિયનનો વધારો થયો છે. ફાઇનાન્સ કંપનીની કસ્ટમર ફ્રેન્ચાઇઝી ડિસેમ્બર 2022 સુધીમાં 66 મિલિયન હતી. આ આંકડો એક વર્ષ અગાઉના સમયગાળામાં 55.4 મિલિયનનો હતો.

    MORE
    GALLERIES

  • 99

    મોટા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનો દાવો, બજાજ ફાઈનાન્સમાં તિજોરી-ખિસ્સા ભરાશે

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES