Home » photogallery » બિઝનેસ » અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

LIC on Adani Group Stocks: અદાણી ગ્રુપ વિશે હિડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) ના રિપોર્ટ બાદ LIC અને SBI જેવી સંસ્થાઓના તેમાં એક્સપોઝરને લઈને અનેક સવાલ ઉઠ્યાં હતાં. જોકે હાલમાં જ Adani Group ના ટોપ મેનેજમેન્ટને મળ્યા પછી LICના સીઈઓ સિદ્ધાર્થ મોહંતીએ ખૂબ મોટી વાત કરી હતી.

  • 18

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપ તકલીફમાં મુકાયું છે. અદાણી ગ્રુપમાં દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICનું પણ રોકાણ છે. જેના કારણે ગત મહિને LICના અધિકારીઓ અને અદાણી ગ્રુપના ટોચના મેનેજમેન્ટ વચ્ચે મુલાકાતનો તખ્તો ઘડાયો હતો. આ દરમિયાન બંને કંપનીના મેનેજમેન્ટ વચ્ચે તાજેતરમાં એક બેઠક મળી હતી.

    MORE
    GALLERIES

  • 28

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    LIC પોતાના બિઝનેસ ઉદ્દેશ્યોને લઈને અદાણી ગ્રુપ પર ખૂબ જ વિશ્વસનીય છે. આ વાત રવિવારે LICના અધ્યક્ષ એમઆર કુમારે કહી હતી. તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રુપના ટોચના મેનેજમેન્ટને મળ્યા બાદ હવે તેઓ પોતાના બિઝનેસ પ્રોસ્પેક્ટ બાબતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 38

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    આ પહેલાં ગત મહિને કુમારે કહ્યું હતું કે LICના અધિકારીઓ અદાણી ગ્રુપના ટોચના મેનેજમેન્ટને મળવાનું વિચારી રહ્યા છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની સમસ્યાઓ બાબતે સ્પષ્ટતા મેળવવા આ બેઠક યોજાવાની હતી. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર તૂટી ગયા હતા. ત્યારે અદાણી ગ્રુપમાં રોકાણ કરવા બદલ LIC માત્ર રોકાણકારોના જ નહીં, રાજકીય નેતાઓના પણ નિશાને આવી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 48

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    અદાણી સ્ટોક્સમાં રોકાણ કરવા અંગે LICનું શું કહેવું છે? હિન્ડનબર્ગના આરોપો બાદ LICના સીઇઓ સિદ્ધાર્થ મોહંતીએ સીએનબીસી-ટીવી18ને જણાવ્યું હતું કે, LIC અદાણીના શેર અંગે સકારાત્મક છે. તમામ રોકાણો કંપનીની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુરૂપ છે.

    MORE
    GALLERIES

  • 58

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    તેમના જણાવ્યા અનુસાર, LIC ઘણી મોટી પ્લેયર છે અને તેમને નથી લાગતું કે આના કારણે LICના કુલ રોકાણને અસર કરશે. સિદ્ધાર્થના મતે LIC માત્ર એક જ નહીં, પરંતુ તમામ શેરોમાં રોકાણ કરવાને લઈને પોઝિટિવ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, LIC જે કંપનીમાં રોકાણ કરે તેની સાથે સતત સંપર્કમાં રહે છે.

    MORE
    GALLERIES

  • 68

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    હિન્ડનબર્ગના કારણે અદાણી ગ્રૂપની માર્કેટ કેપને મોટો ઝટકો- હિન્ડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. ત્યાર બાદ આ ગ્રુપની માર્કેટ કેપ તેના રેકોર્ડ હાઈથી અડધાથી પણ વધુ ઘટી ગઈ છે. શેરમાં ભારે ઘટાડો થયો છે.

    MORE
    GALLERIES

  • 78

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    બીજી તરફ ગુરૂવારે સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઘટાડાની તપાસ માટે એક્સપર્ટ પેનલ અને માર્કેટ રેગ્યુલેટર સેબીને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગ્રુપના મોટા ભાગના શેર અપર સર્કિટમાં પહોંચી ગયા હતા અને બાકીના શેરોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો. બજારમાં તેની 10 લિસ્ટેડ કંપનીઓ છે. જેમાંથી ત્રણ એનડીટીવી, એસીસી અને અંબુજા સિમેન્ટ્સને થોડા વર્ષો પહેલા જ ખરીદવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 88

    અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે LICના અધિકારીઓની મુલાકાત, કારોબાર અંગે આપ્યું મોટું નિવેદન

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES