નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી (LIC) એક એવું પ્લેટફોર્મ જ્યાં લોકો દમદાર રીટર્ન (Investment Return) મેળવવા માટે પૈસા લગાવે છે. આ દિગ્ગજ વીમા કંપની અનેક પ્રકારની પોલિસી (LIC Policies) ઓફર કરે છે. આજે અમે તમને એલઆઇસીની બે એવી સ્કિમ્સ (LIC Schemes) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે આ મહીનેથી બંધ થવા જઇ રહી છે. આ સ્કિમ છે – પ્રધાનમંત્રી વંદના વય યોજના (PMVVY) અને એલઆઇસી ધન વર્ષા યોજના (LIC Dhan Varsha Yojana).
પ્રધાનમંત્રી વય વંદના યોજના – PMVVY - આ એલઆઇસીની પેન્શન યોજના છે. સરકાર આ યોજાનને 31 માર્ચે બંધ કરી દેશે. એટલે કે જો તમે આ સ્કિમમાં જોડાવા માંગો છો તો તમારી પાસે માત્ર 10 દિવસ છે. તેમાં રોકાણકારોને માસિક રોકાણ પણ 7.4 ટકા વાર્ષિક વ્યાજ દરનો લાભ મળે છે. પેન્શનના આ દરનો લાભ 31 માર્ચ 2023 સુધી લઇ શકાય છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વય વંદના નામની પેન્શન યોજનાને 4 મે 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેમાં મહત્તમ વાર્ષિક 1.20 લાખ રૂપિયાનું પેન્શન મળે છે.
ઉદાહરણ તરીકે જો તમે આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તેના પર તમને વાર્ષિક 7.40 ટકા વ્યાજ મળશે. જે કુલ 1,11,000 રૂપિયા હશે. જો તમે આ રકમને 12 ભાગમાં વહેંચો છો, તો કુલ 9,250 રૂપિયા થશે. આ રીતે તમને દર મહિને 9,250 રૂપિયા પેન્શન તરીકે મળશે. સાથે જ જો પતિ-પત્ની 15 લાખ રૂપિયા એટલે કે કુલ 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો બંનેને અલગથી 9250 રૂપિયા એટલે કે પેન્શન તરીકે કુલ 18,500 રૂપિયા મળશે.
એલઆઇસી ધન વર્ષા સ્કિમ - એલઆઇસી ધન વર્ષા યોજના એક નોન-લિંક્ડ, પર્સનલ, સેવિંગ્સ અને એકલ પ્રીમિયમ વીમા યોજના છે. એલઆઇસીની ધન વર્ષા સ્કિમ અંતર્ગત તમારી પાસે રોકાણના બે ઓપ્શન હોય છે. પહેલામાં પ્રીમિયમનું 1.25 ટકા સુધી રીટર્ન મળે છે અને બીજામાં પોલિસીધારકનું મૃત્યુ થવા તેના પરીવારને 10 ગણું રીટર્ન મળે છે.