Home » photogallery » બિઝનેસ » શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

શંકરભાઈ આમ છેલ્લા 10 વર્ષથી નારિયેળમાંથી બાઉલ, કપ, ડેકોરેશનની વસ્તુઓ, ભગવાન ગણેશ, શંકર ભગવાનનું શિવલિંગ, નારિયેળમાંથી છીણીને ખિસકોલી, વાંદરા, પેન મૂકવાનું સ્ટેન્ડ, માછલી, ફૂલદાની, કળશ, ચાની કીટલી, જગ શોપિસની વસ્તુઓ સહિત 250થી વધુ વસ્તુઓ બનાવે છે.

  • Local18
  • |
  • | Bharuch, India

  • 17

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    ભરૂચ: સાંપ્રત સમયમાં આદિ કાળથી સંકળાયેલા વ્યવસાય બદલવાની તરફ પડી રહી હોવા તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. તેવામાં ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 19મી મેના રોજથી ગુર્જરી હસ્ત કલા હાટ પ્રદર્શનીમાં શરૂ થઈ છે.

    MORE
    GALLERIES

  • 27

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામના શંકરભાઈ શ્રીમાળીએ પણ પોતાના પિતાના જ્યોતિષ શાસ્ત્રનું કામ છોડી વ્યવસાય બદલાવી નારિયેળમાંથી વસ્તુઓએ બનાવવાનું શરૂ કર્યું છે. શંકરભાઈએ અભ્યાસમાં ધોરણ 12 પાસ કર્યું છે. તેઓના પિતા જ્યોતિષનું કામ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    શંકરભાઈ કલર કામ કરતા હતા, તે દરમિયાન તેઓના હાથમાં એક દિવસ નારિયેળ આવ્યું અને તેઓએ તેના પર છીણીથી કામ કરીને પોલિશ કરીને બનાવ્યું હતું. આ બાદ તેને તેઓના પાન મસાલાના ગલ્લામાં લટકાવી દીધું હતું. તે અનેક લોકોને ખૂબ પસંદ આવતા શંકરભાઈ ધીરે ધીરે નારિયેળમાંથી અનેક વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી.

    MORE
    GALLERIES

  • 47

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    શંકરભાઈ આમ છેલ્લા 10 વર્ષથી નારિયેળમાંથી બાઉલ, કપ, ડેકોરેશનની વસ્તુઓ, ભગવાન ગણેશ, શંકર ભગવાનનું શિવલિંગ, નારિયેળમાંથી છીણીને ખિસકોલી, વાંદરા, પેન મૂકવાનું સ્ટેન્ડ, માછલી, ફૂલદાની, કળશ, ચાની કીટલી, જગ શોપિસની વસ્તુઓ સહિત 250થી વધુ વસ્તુઓ બનાવે છે.

    MORE
    GALLERIES

  • 57

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    વેસ્ટ નારિયળમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટે શંકરભાઈને વધુ મહેનત લાગે છે. શંકરભાઈની ઉંમર હાલ 55 વર્ષ છે. શંકરભાઈની ઉંમર વધતા નારિયેળમાંથી બનાવેલ આર્ટ ગુજરાત રાજ્યમાં જળવાઈ રહે તે માટે લોકોને તાલીમ આપવા માટે પણ તૈયાર છે. શંકરભાઈને આ આર્ટમાં સમાજમાંથી સન્માન પણ પ્રાપ્ત થયું છે.

    MORE
    GALLERIES

  • 67

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    શંકરભાઈને નારિયેળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાનો ખૂબ શોખ છે. તેઓ નારિયેળમાંથી વસ્તુઓ બનાવીને ઓછામાં ઓછા રૂપિયા 50થી શરૂઆત કરીને રૂપિયા 2 હજાર સુધીની વસ્તુઓ બનાવે છે. તેમાં તેઓ કોઈપણ કૃત્રિમ પ્રકારનું વસ્તુઓનો વપરાશ કરતા નથી.

    MORE
    GALLERIES

  • 77

    શું આવું ક્યારેય વિચાર્યું હતું કે, નારિયેળથી આ વસ્તુઓ પણ બની શકે! જુઓ ફોટોઝ

    તેઓ નારિયેળને જ ઘસીને પોલીશ કરે છે. તેઓ વડોદરા સુરત અમદાવાદ બનાસકાંઠા ભરૂચ સહિતના શહેરોના એક્ઝિબિશન સહિત પોતાના વિસ્તારમાં વેચાણ કરી આવક મેળવે છે.

    MORE
    GALLERIES