

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Pandemic)ની વચ્ચે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે રેલવેની સુવિધાઓ સામાન્ય ક્યારે થશે? કોવિડ-19 (COVID-19)ના કારણે લગભગ ત્રણ મહિનાથી ઠપ પડેલી ટ્રેનોનું સંચાલન હાલ સામાન્ય થવાની શક્યા નહીંવત છે, કારણ કે ભારતીય રેલવે (Indian Railways)એ 14 એપ્રિલ કે તે પહેલા બુક કરવામાં આવેલી તમામ નિયમિત ટાઇમટેબલવાળી ટ્રેનોની રેલ ટિકિટોને કેન્સલ કરી દીધી છે. મુસાફરોને પૂરેપૂરું રિફન્ડ આપવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય પેસેન્જર ટ્રેનો શરૂ થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.


કેમ થઈ શકે છે વિલંબ? – ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, રેલવે મંત્રાલયે સોમવારે તમામ ઝોનને એક સર્કુલર જાહેર કરી 14 એપ્રિલે કે તે પહેલા બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને રદ કરવા અને ટિકિટોનું પૂરેપૂરું રિફન્ડ જનરેટ કરવાના નિર્ણયની જાણકારી આપી. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ થવામાં વધુ સમય લાગશે.


સોમવારે જાહેર થયો આ આદેશ – IRCTC મુજબ, ભારતીય રેલવે દ્વારા સિસ્ટમમાં ટ્રેનને રદ કર્યા બાદ ઓટોમેટિક ફુલ રિફન્ડ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન, ભારતીય રેલવે તાત્કાલિક મુસાફરી માટે પોતાની 230 IRCTC સ્પેશ લ ટ્રેનોને નિયત રૂટ પર દોડાવવાનું ચાલુ રાખશે.


કોરોના વાયરસ કે કોવિડ-19ના પ્રસારને ધ્યાને લઈ ભારતીય રેલવેએ 15 એપ્રિલથી નિયમિત ટ્રેન સેવાઓ માટે એડવાન્સ રિઝર્વેશનને સસ્પેન્ડ કરી દીધું હતું. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન શરૂ થતાં 25 માર્ચથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની તમામ નિયમિત ટ્રેન સેવાઓને રદ કરી દેવામાં આવી છે.


જોકે, 12 મેના રોજ લૉકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે રેલવેએ IRCTC સ્પેશલ ટ્રેન સર્વિસ શરૂ કરી. શરૂઆતમાં IRCTCની વિશેષ ટ્રેનોમાં 30 રાજધાની-સ્ટાઇલની AC ટ્રેનો સામેલ હતી.