નવી દિલ્હી. પહેલી એપ્રિલથી આપના નાણા (Money) અને ટેક્સ (Tax) સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે તો આપ તેને આજે જ જાણી લો. બજેટ (Union Budget 2021)માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે અનેક પ્રકારના એલાન કર્યા છે. આ નિયમ 1 એપ્રિલ, 2021થી લાગુ થઈ જશે. જોકે જે લોકોની ઉંમર 75 વર્ષથી વધુ છે તેમને આ વખતે બજેટમાં રાહત આપવામાં આવી છે એટલે કે એ લોકોએ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે. આવો આપને આ ફેરફારો વિશે જણાવીએ...
1. EPF પર ટેક્સ- ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ, 1 એપ્રિલથી 2.5 લાખથી વધુ પીએફ કોન્ટ્રીબ્યૂશન કરનાર પર જે વ્યાજ મળે છે તેની પર આપને ટેક્સ આપવો પડશે. નાણા મંત્રીએ વધુ પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જોકે તેની અસર બે લાખ રૂપિયા મંથલી સેલરીવાળા લોકો ઉપર જ પડશે.
2. બમણું TDS આપવું પડશે- કેન્ર્્ સરકાર આઇટીઆર ફાઇલિંગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે નવા નિયમ બનાવ્યા છે કે જે પણ લોકો આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને જોડી દીધું છે. આ સેક્શન મુજબ, હવે આઇટીઆર ફાઇલ નહીં કરવા પર પહેલી એપ્રિલથી બમણું ટીડીએસ આપવું પડશે.
5. 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત- બજેટમાં નાણા મંત્રીએ એલાન કર્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત આપવામાં આવી છે. એટલે કે પહેલી એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઇલ કરવું નહીં પડે. નોંધનીય છે કે આ છૂટ એ સીનિયર સિટિઝન્સને આપવામાં આવી છે જે પેન્શન કે પછી ફિક્ડ્ન ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર આશ્રિત છે.