

રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) શરૂ થતા મોટી સહાય થશે. તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે. આ સ્કીમની મદદથી રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન આપશે. સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ માટે 5000 કરોડ રૂપિયાની રાશિ રાખી છે. જે કોઇ કડક શરત નહીં હોય.


કેટલી લોન મળશે અને વ્યાજ દર શું હશે? પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમે વધુમાં વધુ 10 હજાર રૂપિયાની લોન મળશે. જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે. આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે. જેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો.


કોણ લઇ શકે છે આ લોન? રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આ લોન આપવામાં આવશે. શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે. અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે.


કેટલા લોકોને આનાથી ફાયદો થશે? સરકાર માને છે કે આ સ્ક્રીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો મળશે. જાણકાર માને છે કે આ સ્કીમથી દુકાનદારને એક રીતની મદદ મળશે જે લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. સામાન્ય રીતે આટલી નાની રકમ માટે પણ ગરીબો ખોટા દેવાદારોના હાથમાં પડી જતા હોય છે. જે નાની રકમના નામે મોટું વ્યાજ લે છે. ત્યારે નાની લોનમાં લોકોને મુશ્કેલીઓ સરળ કરવા માટે આ પ્રયાસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.


કેવી રીતે આવેદન કરવું? સૌથી પહેલા આવેદન ભરનારે સ્કીમની અધિકારીક વેબસાઇટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે. તે પછી કૉમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે. તેમાં 3 સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો. તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો. આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે. ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે. અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે. એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ફોર્મમાં પૂછવામાં આવેલી જાણકારી ભરો. અને જાણકારી ભરે એપ્લીકેશનની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરો. અને એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાઓમાં જઇને જમા કરાવો.