Home » photogallery » બિઝનેસ » ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

Fig Farming Business Idea: ગુજરાતમાં અંજીરની ખેતીથી કેટલાક ખેડૂતો માલામાલ થયા છે ત્યારે આ ખેતી કઈ રીતે કરવી અને તેના માટે જમીન કેવી હોવી જોઈએ સહિતની તમામ A-Z માહિતી આપી રહ્યા છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 110

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    આજે દરેક ખેડૂત એવું ઈચ્છતો હોય છે કે પોતે કંઈક અલગ કરે અને તેના દ્વારા થોડાક જ વર્ષોમાં તગડી કમાણી પણ મેળવવા લાગે. જોકે આ માટે પરંપરાગત ખેતીથી કંઈક હટકે કરવાની જરુર છે. આજે આપણે એવી જ એક ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનો પાક લઈને ગુજરાતની એક મહિલા ખેડૂતે પણ બંપર કમાણી કરી છે.

    MORE
    GALLERIES

  • 210

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    આ વાત છે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામની જ્યાં પ્રગતિશીલ મહિલા ખેડૂત 7 વીઘા જમીનમાં અંજીરનો પાક લઈને વર્ષે 8-10 લાખની કમાણી કરી રહ્યા છે. વિલાસબેન દિનેશભાઈ સવસૈયા પોતાના સાત વીઘા જમીનની અંદર લોકડાઉન સમયે અંજીર વાવેતર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે અંજીરનું વાવેતર કરાયું હતું.ત્રણ પાક અંજીરના લેવામાં આવ્યા હતા. ત્રણેય પાકમાં સાતથી આઠ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.

    MORE
    GALLERIES

  • 310

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    હવે આજે જાણીએ આ ખેતી કરવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? ખેતરની કેવા પ્રકારની હોવી જોઈએ? શું ધ્યાન રાખવું અને રોપણીનો અનુકળ સમય સહિતની માહિતી આપણે આજે આ લેખમાં જોઈશું?

    MORE
    GALLERIES

  • 410

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    અંજીર એ એક સૂકા અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશનું ફળ ઝાડ છે. ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટર જેટલું છે જેમાંથી 300 હેક્ટર વિસ્તાર ફક્ત મહારાષ્ટ્રમાં છે. થોડો વિસ્તાર બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ અંજીરની ખેતી થાય છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા જીલ્લામાં છૂટાછવાયા ખેતીના દાખલા મળી રહે છે. આ પાકની યોગ્ય સમયે છંટણી કરવી, ખાંચા પાડવા તેમજ ગેરું રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી.

    MORE
    GALLERIES

  • 510

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઇ શકે છે. મધ્યમ કાળી અને ગોરાડુ જમીન અંજીરને વધુ માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આથી થોડા ક્ષારવાળી જમીનમાં પણ અંજીરના છોડની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. એટલું જ નહીં ગુજરાતનું હવામાન પણ ઘણાઅંશે અંજીની ખેતીને માફક આવે તેવું છે. જોકે જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય ત્યાં અંજીરની ખેતી કરવી હિતાવહ નથી.

    MORE
    GALLERIES

  • 610

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    અંજીરની ખેતીમાં છોડની રોપણી ખાસ કરીને જુલાઈ- ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે. આ માટે પહેલા જમીનને તૈયાર કરવી જોઈએ. જે માટે ખેતરમાં 4.5 થી 5 મીટરના અંતરે 60 સે.મી. × 60 સે.મી. × 60 સે.મી. માપના ખાડા મે મહિના દરમિયાન જ કરી લેવા જોઈએ. જે બાદ આ ખાડાને 15 દિવસ ખુલ્લા તાપમાં તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે 20 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 250 ગ્રામ દિવેલી ખોળ ભેળવીને પૂરી દેવા. આ પૂરતા પહેલાં તેમાં થોડો 5 ગ્રામ જેટલો બીએચસી પાઉડર તળીયે મૂકી દેવો.

    MORE
    GALLERIES

  • 710

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    સામાન્ય રીત અંજીર ઓછા પાણીએ થતો પાક ગણાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં અંજીરના પાકમાં પિયત અંગે કરવામાં લેવામાં આવેલ પ્રયોગમાં સામે આવ્યું છે કે નિયમિત પિયતથી વધુ સારું ઉત્પાદન થઈ શકે છે. ફળો કદમાં મોટા, સારી ગુણવતાવાળા તેમજ વધારે સંખ્યામાં બેસે છે. જે તે સ્થળના હવામાન અને જમીનના પ્રકારના આધારે વર્ષ દરમ્યાન 14 થી 17 પિયત આપવાં જોઈએ. શિયાળામાં 16 થી 18 દિવસના અંતરે જ્યારે ઉનાળામાં 6 થી 8 દિવસના અંતરે અને ચોમાસામાં જરૂર મુજબ પિયત આપવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 810

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    અંજીર રોપ્યા બાદ પહેલા વર્ષથી જ થોડાક ફૂલ- ફળ બેસે છે પરંતુ તેને કાઢી નાંખવા જોઇએ. કારણકે તેમ ન કરવામાં આવે તો આગળ જતા ઉત્પાદન ઘટે છે. સામાન્ય રીતે પાંચમાં વર્ષથી સ્થિર ઉત્પાદન મળે છે. અંજીરના ઝાડ 30 થી 40 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે ત્યારબાદ સરેરાશ ઉત્પાદન ઘટે છે.

    MORE
    GALLERIES

  • 910

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    અંજીરની ઘણી જાતો છે. સિમરાના, કાલીમિરના, કડોટા, કાબુલ, માર્સેલસ અને વ્હાઇટ સેન પેટ્રોની કેટલીક પ્રખ્યાત જાતો છે. જ્યારે મહારાષ્ટ્રમાં મોટાભાગે ઉપુણે પ્રદેશને પૂના અંજીર (એડ્રિયાટિક) અથવા સામાન્ય જાત તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 1010

    ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    એક હેક્ટર ખેતરમાં લગભગ 250 અંજીરનાં છોડ વાવી શકાય છે અને એક છોડમાંથી લગભગ 20 કિલો અંજીરનું ફળ મળે છે. અંજીરના ફળ ક્વોલિટી પ્રમાણે રૂ.500 થી રૂ.800 પ્રતિ કિલો વેચાય છે, આ હિસાબે ખેડૂતો 1 હેક્ટરમાં અંજીરની ખેતી કરીને વાર્ષિક રૂ.25 થી 30 લાખની કમાણી સરળતાથી કરી શકે છે.

    MORE
    GALLERIES