Home » photogallery » બિઝનેસ » તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

આજે અમે તમને રવિ પાક કાળા ઘઉંની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમાં ખેડૂત ઓછા ખર્ચે વધારે નફો કમાઈ શકે છે.

  • 17

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    નવી દિલ્હીઃ દુનિયાભરમાં ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. કારણ એ છે કે, અહીં 70 ટકા લોકો ખેડૂત છે. દેશના જુદા-જુદા હિસ્સામાં અલગ-અલગ પાક ઉગાડવામાં આવે છે. પાકોની સારી ઉપજ અને ખેડૂતોની આવક વધારવા માટે સમય-સમય પર નવા-નવા પ્રયોગ થતા રહે છે, જેનાથી ખેડૂત નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 27

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    આજે અમે તમને રવિ પાક કાળા ઘઉંની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમાં ખેડૂત ઓછા ખર્ચે વધારે નફો કમાઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    કાળા ઘઉંની ખેતી - જો તમે એક ખેડૂત છો અને તમે ઈચ્છો છો કે, અમે એવો કાપ ઉગાડીએ જેનાથી ઓછા ખર્ચે વધારે નફો થાય, તમે ઓક્ટોબર કે નવેમ્બરમાં કાળા ઘઉંની ખેતી કરી શકો છો. આ ખેતીની ખાસ વાત એ છે કે, આમાં ખર્ચો પણ ઓછો આવે છે અને તે સામાન્ય ઘઉંની તુલનામાં વધારે ભાવે વેચાય છે.

    MORE
    GALLERIES

  • 47

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    કેવી રીતે કરવી કાળા ઘઉંની ખેતી - કાળા ઘઉંની ખેતી ઉપર જણાવ્યા મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં થાય છે. કાળા ઘઉંની ખેતી માટે પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. તેની વાવણી સમયે ખેતરમાં પ્રતિ એકર 60 કિલો DAP, 30 કિલો યૂરિયા, 20 કિલો પોટાશ અને 10 કિલો ઝિંકનો સમાવેશ થાય છે. પાકની સિંચાઈના પહેલા પ્રતિ એકર 60 કિલો યૂરિયા ખાતર નાખવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 57

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    સિંચાઈનો યોગ્ય સમય - કાળા ઘઉંની સિંચાઈ 21 દિવસ પછી કરો. ત્યારબાદ સમય-સમય પર ભેજ પ્રમાણે પિયત આપતા રહો. જ્યારે પાકના બીજ ફૂટે તે સમયે સિંચાઈ અવશ્ય કરો.

    MORE
    GALLERIES

  • 67

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    સાધારણ ઘઉં અને કાળા ઘઉંમાં કેટલુ અંતર? - કાળા ઘઉંમાં એન્થોસાઈનીન પિગમેન્ટની માત્રા વધારે હોય છે. આ કારણથી તે કાળા દેખાય છે. આમાં એન્થોસાઈનિનની માત્રા 40થી 140 પીપીએમ હોય છે, જ્યારે સફેદ ઘઉંમાં 5થી 15 પીપીએમની માત્ર હોય છે.

    MORE
    GALLERIES

  • 77

    તમારી જમીનમાં આ રીતે ઉગાડો કાળા ઘઉં, લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે

    કાળા ઘઉંના ખાસ ફાયદા - કાળા ઘઉંમાં એન્થ્રોસાઈનીન એટલે કે, નેચરલ એન્ટી ઓક્સીડેન્ટ તેમજ એન્ટીબાયોટિક ભરપૂર માત્રામાં હોય છે. જે હાર્ટ એટેક, કેન્સર, ડાયબિટીઝસ માનસિક તણાવ, ઘૂંટણમાં દુખાવો અને એનીમિયા જેવા રોગોને ખત્મ કરવામાં મદદ કરે છે. કાળા ઘઉંમાં ઘણા ઔષધિય ગુણ ઉપલબ્ધ હોય છે. જેના કારણે, બજારમાં તેની ઊંચી માંગ છે અને તે હિસાબથી કિંમત પણ છે.

    MORE
    GALLERIES