Home » photogallery » બિઝનેસ » Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

Business Idea: છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોમાં સ્વસ્થ જીવનશૈલીની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આજકાલ બજારમાં સોયા પનીર એટલે કે ટોફુની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ટોફુ એ ભારતમાં એક વિકસતો વ્યવસાય છે જે શરૂ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.

विज्ञापन

  • 16

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    આજે આપણે એક એવા બિઝનેસ વિષે વાત કરીશું જેમાં તમે ઓછા રોકાણ સાથે સારી કમાણી કરી શકો છો. આ પ્રોડક્ટ ખાણીપીણી સાથે જોડાયેલી છે અને દિવસેને દિવસે તમારી આવક વધતી જશે. આ બિઝનેસ છે સોયા પનીરનો. જેને ટોફુ તરીકે પણ ઓળખાય છે. અહીં તેના પ્લાન્ટ વિશેની વાત કરીશું. અહીં તમે થોડી વધુ મહેનત કરીને તમારી પોતાની એક સારી બ્રાન્ડ ઉભી કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 26

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    આ બિઝનેસ શરુ કરવા માટે 3 થી 4 લાખની જરૂર રહેશે. શરૂઆતના સમયમાં બોઇલર, ઝાર, સેપરેટર, નાનું ફ્રીઝ વગેરે સમાનની જરૂરિયાત રહેશે. જેમાં અંદાજે 2 લાખ સુધીનો ખર્ચ થશે. આ સિવાય 1 લાખના સોયાબીનની ખરીદી કરવાની રહેશે. આ સિવાય કોઈ એક્સપર્ટની પણ તમારે જરૂરિયાત રહેશે.

    MORE
    GALLERIES

  • 36

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    સોયા પનીર બનાવવા માટે સૌવ પ્રથમ સોયાબિનને પીસીને 1:7 ના પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરીને ઉકાળવામાં આવે છે. બોઇલર અને ગ્રાઈન્ડરમાં 1 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે તમને 4-5 લીટર દૂધ મળવા પાત્ર છે. આ પછી તે દૂધને સેપરેટરમાં નાખવામાં આવે છે, જ્યાં તે દહીં જેવું બની જાય છે. બાદમાં વધેલું પાણી કાઢવામાં આવે છે. આશરે 1 કલાકની પ્રક્રિયા બાદ તમને 2.5 થી 3 કિલો સોયા પનીર મળે છે.

    MORE
    GALLERIES

  • 46

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    આજકાલ માર્કેટમાં સોયા દૂધ અને સોયા પનીરની ખુબજ ડિમાન્ડ છે. સોયા દૂધ અને પનીર સોયાબીનથી તૈયાર કરવામાં આવે છે. સોયા દૂધ અને પનીરને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ તેની પૌષ્ટિકતા અને સ્વાદ ગાય કે ભેંસના દૂધ જેવો હોતો નથી. બીમાર દર્દી માટે સોયા પ્રોડક્ટ સારી માનવામાં આવે છે. સોયા પનીરને ટોફુના નામથી પણ ઓળખવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 56

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    ટોફુ બનાવ્યા પછી બાય પ્રોડક્ટ તરીકે તેલ કેક વધે છે. તેનાથી પણ બીજી ઘણી પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. તેલ કેકનો ઉપયોગ બિસ્કિટ બનાવવામાં પણ થાય છે. આ સિવાય બાય પ્રોડક્ટ તરીકે બરી પણ મળે છે. જેને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

    આમ આ રીતે સોયા પનીર બનાવવામાં ઘણા ફાયદાઓ છે. જેને લઈને તમે સારી કમાણી કરી શકો છો. ધારોકે તમે રોજનું 30-35 કિગ્રા ટોફુ પનીર બનાવો છો તો તમે આસાનીથી દર મહિને 1 લાખની કમાણી કરી શકો છો.

    MORE
    GALLERIES