આયુર્વેદ અને યોગ આજે દુનિયાભારમાં જાણીતા બન્યા છે. ભારતની આ સદીઓ જૂની ચિકિત્સા પદ્ધતિ તરફ લોકોનો સતત ઝુકાવ વધી રહ્યો છે. તેમજ હવે તો તેના ઉપયગોથી ટેબ્લેટ અને કેપ્સૂલ બનાવવા અંગે દુનિયામાં આ ક્ષેત્રે રિસર્ચ અને ડેવલોપમેન્ટ પણ વધ્યું છે. આજના સમયમાં આયુર્વેદીક ઉત્પાદનો બજારમાં હોટ સેલિંગ પ્રોડક્ટ છે. તો આ ક્ષેત્રે બિઝનેસ કરવો ખૂબ જ ઉત્તમ છે.
ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ (KVIC)એ મેડિકેટેડ ઓઇલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ વિશે એક રિપોર્ટ આપ્યો છે. તેની પ્રોજેક્ટ કોસ્ટ 5,05,000 રુપિયા છે અને આ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત તમને લોન પણ મળે છે. જેથી તમારે પોતાના ખિસ્સામાંથી તો ફક્ત 50,500 રુપિયા જ કાઢવાના છે, જ્યારે પ્રોજેક્ટ સ્થાપવા માટેના બાકીના 90 ટકા તમને લોન તરીકે મળી જશે.
આ પ્રોજેક્ટ કોસ્ટમાં 1000 વર્ગ ફૂટ બિલ્ડિંગ શેડ, મશીનરી અને ઇક્વિપમેન્ટ તેમજ શરુઆતના કેટલાક સમય માટે વર્કિંગ કેપિટલ સહિતના તમામ પાશાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આટલા કોસ્ટમાં તમે વર્ષભરમાં 95500 જેટલી મેડિકેટેડ ઓઇલની બોટલો તૈયાર કરી શકશો. બજાર ભાવ પ્રમાણે જેની કુલ અંદાજીત કિંમત 12,61,000 રુપિયા જેટલી થાય છે.
હવે તમને થશે કે તમે ક્યારેય આવો બિઝનેસ કર્યો નથી અને પ્રોડક્શનથી લઈને સેલ્સ અંગે કઈ રીતે ખબર પડશે. તો આ માટે પણ સરકાર તમારી સાથે છે. પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત લોન આપવા પહેલા આ બિઝનેસ અંગે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં બિઝનેસની નાનામાં નાની જાણકારીઓ સાથે સાથે મેનેજમેન્ટ અને સેલ્સના કસબ પણ શીખવાડવામાં આવશે.
જો તમારે પણ આ બિઝનેસ શરું કરવો છે તો આ માટે તમે સરકારમાં એપ્લાય કરી શકો છો. આ બિઝનેસ શરું કરવા માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અથવા તો તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર અથવા ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગના જિલ્લા કાર્યાલયમાં સંપર્ક કરી શકો છો. ઓનલાઈન એપ્લાય માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp