Home » photogallery » બિઝનેસ » Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

Budget 2023: દર વર્ષની જેમ, કરદાતાઓ બજેટમાં એવી ઘોષણાઓ થાય તેવી અપેક્ષા રાખશે જેનાથી જીવનનિર્વાહ અને ફુગાવાના ઊંચા ખર્ચનો સામનો કરવા માટે તેમના હાથમાં વધુ નાણાં રહે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 112

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    કેન્દ્રીય બજેટમાં પગારદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સહિતનાને વિવિધ અપેક્ષાઓ છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ સામાન્ય ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હશે. જેથી દરેક ક્ષેત્રને ખુશ કરવામાં આવશે તેવી આશા છે.

    MORE
    GALLERIES

  • 212

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    બજેટની જાહેરાતમાં કરદાતાના જીવનનિર્વાહના ઊંચા ખર્ચ અને ફુગાવાનો સામનો કરવા માટે તેમના હાથમાં વધુ નાણાં બચે તેની તકેદારી રાખવામાં આવે તેવી અપેક્ષા છે.

    MORE
    GALLERIES

  • 312

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    કરદાતાઓ વિવિધ કર કપાતની અપેક્ષા પણ રાખે છે. નવી કપાત તેમના હાથમાં વધુ આવક રાખી શકે છે. જેટલી વધુ ડિસ્પોઝેબલ આવક હશે, તેટલા વધુ ખર્ચને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને મોંઘવારીના સમયે આ એક આવકારદાયક બાબત સાબિત થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 412

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    થોડા સમય પહેલા સરકાર દ્વારા વૈકલ્પિક કર વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. નવી કર પ્રણાલીમાં કેટલાક કરદાતાઓને નીચા-કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં તેમને કપાત મળતી નથી. જો કે, નાણાકીય અને પારિવારિક જવાબદારીઓ ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે તે કપાત સિવાય નવી કર વ્યવસ્થા પસંદ કરવી મુશ્કેલ બનશે. આથી તેઓ જરૂરી કપાતનો લાભ મેળવવા માટે જૂની પદ્ધતિમાં સામેલ રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 512

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    પ્રોવિડન્ટ ફંડ, વીમાની ચૂકવણી, ભાડું કે હોમ લોનના EMI કે બાળકોની સ્કૂલ ટ્યુશન ફી માટે કપાત સામાન્ય બાબત છે. કોઈ પણ વ્યક્તિ કે જેણે હોમ લોન લીધી છે તે આટલો મોટો કર લાભ ઉપાડી શકે નહીં. આ વર્ગના કરદાતાઓ માટે કપાતમાં વધારો કરવાની જરૂર છે. પરંતુ આવું થયું નહીં. મોંઘવારી મુજબ કપાતમાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે આગામી બજેટમાં સરકાર ધ્યાનમાં લઈ શકે તેવા કેટલાક મુદ્દા અહીં આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 612

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    કલમ 80C મર્યાદા વધી શકે: કલમ 80C કપાતની મર્યાદા છેલ્લે 2014માં સુધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ પ્રખ્યાત કર લાભ કપાત છે અને તેનો ઉપયોગ કરદાતાઓ દ્વારા જૂની કર પ્રણાલીમાં કરવામાં આવે છે. મોંઘવારીમાં વધારાને જોતા 1.5 લાખ રૂપિયાની કપાતની સીમા વધારીને 2 લાખ રૂપિયા કરી દેવાથી ઘણી રાહત મળશે. આ લોકોને વધુ નિકાલજોગ આવક પણ ઉપલબ્ધ કરાવશે અને તે તેમને વધુ બચત કરવામાં પણ મદદ કરશે.

    MORE
    GALLERIES

  • 712

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    જૂની ટેક્સ વ્યવસ્થામાં 20 ટકા અને 30 ટકા ટેક્સ સ્લેબ વધારી શકાય: સરકાર 10 વર્ષ માટે બજેટની વ્યવસ્થા કરવા માટે વિવિધ ટેક્સ સ્લેબની ઉપલી મર્યાદા વધારવા પર વિચાર કરી શકે છે. ઉદાહરણ તરીકે 20 ટકા કપાતની ઉપલી મર્યાદાને હાલની 10 લાખ રૂપિયાની મર્યાદાથી વધારીને 15 લાખ રૂપિયા કરવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 812

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    હોમ લોનની મર્યાદા વધારી શકાય, 80Cથી અલગ કરી શકાય: ઝડપથી વધી રહેલા ફુગાવાને નિયંત્રિત કરવા માટે RBIએ મે 2022થી ડિસેમ્બર 2022ની વચ્ચે રેપો રેટમાં 225 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. જેના કારણે હોમ લોન મોંઘી થઈ ગઈ છે. રેટ વધવા છતાં હોમ લોનની ડિમાન્ડ વધારે છે. આરબીઆઈના આંકડા મુજબ હોમ લોનમાં માર્ચથી ઓક્ટોબર દરમિયાન 8.4 ટકાનો વધારો થયો હતો, જે અગાઉના છ મહિનાના સમયગાળા કરતા વધુ ઝડપી હતો, જોકે તે સમયગાળા દરમિયાન દરોમાં કોઈ વધારો થયો ન હતો. હોમ લોન એ લાંબાગાળાનું નાણાંકીય કમિટમેન્ટ છે. માસિક હપ્તા વધવાથી ઘર ખરીદનારાઓને રાહત આપવા માટે સરકાર ટેક્સમાં છૂટ આપી શકે છે.

    MORE
    GALLERIES

  • 912

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    સરકારે તમામ હોમ લોન કપાતને એક જ વિભાગમાં સામેલ કરવા અને તેને 80સીથી અલગ કરવા અંગે વિચારણા કરવી જોઈએ. મુદ્દલ અને વ્યાજની સબ-લિમિટ વિના રૂ. 5 લાખ સુધીની સિંગલ કપાત (80C, 24B અને 80EEA કપાત) ઘરના માલિકોને સ્થાવર મિલકતના ખર્ચનો વધુ સારી રીતે સામનો કરવા માટે સક્ષમ બનાવશે.

    MORE
    GALLERIES

  • 1012

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    80ડી ટેક્સ ડિડક્શન બેનિફિટ લિમિટમાં વધારો થઈ શકે:  હેલ્થકેરનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ પણ વધી રહ્યું છે. ઊંચા પ્રીમિયમ ખર્ચથી લોકોની નાણાંકીય મુશ્કેલીઓ વધી જાય છે. લોકો પહેલેથી જ ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પણ એક પડકાર છે. સરકારે કલમ 80D હેઠળ કપાતની મર્યાદા વધારવા પર વિચાર કરવો જોઈએ. હાલ સિનિયર સિટીઝન ન હોય તેવા નાગરિકો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમિયમની ચૂકવણી માટે રૂપિયા 25,000 સુધીની કપાતનો લાભ લઇ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ કપાત રૂ. 50,000/- સુધી મળે છે. ઊંચું વીમા કવચ મેળવતા લોકો માટે પ્રીમિયમ કપાતની મર્યાદા કરતાં વધી જાય છે.

    MORE
    GALLERIES

  • 1112

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    હેલ્થ ઈન્શ્યોરન્સ પર જીએસટી ઘટી શકે: ભારતમાં વીમાનું પ્રમાણ ઘણું ઓછું છે. પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટીના દર 18 ટકા પ્રમાણમાં વધારે છે. સરકાર જીએસટી દર પર ફરીથી વિચાર કરી શકે છે અને તેને વધુ સસ્તું બનાવવા માટે તેના દરોમાં ઘટાડો કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 1212

    Budget 2023: જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

    લિસ્ટેડ અને અનલિસ્ટેડ ઇક્વિટીના કિસ્સામાં એલટીસીજી ટેક્સ વચ્ચે સમાનતા હોવી જાઇએ: એલટીસીજીની ગણતરી કરવા માટે લિસ્ટેડ અને અનલિસ્ટેડ ઇક્વિટી સમાન ગણવામાં આવે છે. આ જોખમને ઓછું કરવા માટે જરૂરી માપદંડો જેવા કે (અ) બીએફએસઆઈ ક્ષેત્રમાં ફિનટેક એકમો કે જે નાણાકીય ક્ષેત્રના નિયમનકાર સાથે નોંધાયેલા હોય, (બ) એમએસએમઇ ક્ષેત્રમાં અનલિસ્ટેડ એકમો કે જેઓ વેન્ચર રજિસ્ટ્રેશન ધરાવે છે, જે જરૂરી મૂડી અને/અથવા આવકની જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેમને પણ ઉપલબ્ધ કરાવવા જોઈએ. જે તેમની મૂળભૂત પ્રકૃતિને ઓળખવા અને અનલિસ્ટેડ એન્ટિટીની અર્થવ્યવસ્થામાં મૂલ્ય ઉમેરવા માટે પૂરતું છે. જે તેમના મૂળભૂત નેચરને ઓળખવા અને અનલિસ્ટેડ એન્ટિટીની અર્થવ્યવસ્થામાં મૂલ્ય ઉમેરવા માટે પૂરતું છે.

    MORE
    GALLERIES