નવી દિલ્હીઃ જો આપનું SBIમાં એકાઉન્ટ (SBI Account holders) છે તો આ સમાચાર આપના માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ સપ્તાહએ SBIએ પોતાના અનેક નિયમોમાં ફેરફાર (SBI changes many rules) કર્યા છે. આ નિયમ ATM લેવડ-દેવડ, મિનિમમ બેલેન્સ અને SMS ચાર્જને લઈને છે. આવો આપને વિસ્તારથી સમજાવીએ કે બેન્કે આ નિયમોમાં શું ફેરફાર કર્યા છે અને તેનાથી આપની પર શું અસર થશે...
(1) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ 1 જુલાઈથી પોતાના એટીએમથી નાણા ઉપાડવાના (ATM Withdrawal Rules) નિયમોમાં ફેરફાર કર્યા છે. જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ગ્રાહકોને દંડ થશે. SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર ઉપલબ્ધ જાણકારી મુજબ, SBI મેટ્રો શહેરોમાં પોતાના નિયમિત બચત ખાતાધારકો (Saving Account Holders)ને એટીએમથી એક મહિનામાં 8 મફત લેવડ-દેવડ કરાવવાની મંજૂરી આપી છે. મફત ટ્રાન્જેક્શનની મર્યાદા પાર કરનારા ગ્રાહકોથી પ્રત્યેક લેવડ-દેવડ પર ચાર્જ લેવામાં આવે છે.
(3) SBIએ એટીએમથી 10 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવે જો તમે એસબીઆઈના એટીએમથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડે છે તો આપને ઓટીપી (OTP)ની જરૂર હશે. બેન્કની આ સુવિધા હેઠળ ખાતાધારકોને રાતના 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી SBIના એટીએમથી રોકડ ઉપાડવા માટે ઓટીપની જરૂર હશે. બેન્કની આ સુવિધા ખાતાધારકોને માત્ર SBIના એટીએમમાં મળશે. જો તમે બાકી કોઈ બીજા એટીએમથી રોકડ ઉપાડવા છે તો પહેલાની જેમ આરામથી કાઢી શકો છો. આપને કોઈ એટીએમની જરૂર નહીં હોય.
(4) SBIએ બચત ખાતાધારકોથી માસિક લઘુત્તમ રકમ નહીં રાખવા પર (non-maintenance of monthly average balance) ચાર્જ નહીં લે. એસબીઆઈના 44 કરોડથી વધુ બચત ખાતાધારકોને આ સુવિધા મળશે. આ વર્ષે માર્ચમાં, એસબીઆઈએ ઘોષણા કરી હતી કે તે તમામ બચત બેન્ક ખાતાઓ માટે સરેરાશ માસિક લઘુત્તમ રકમ રાખવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. તેનાથી હવે બેન્કના તમામ બચત ખાતાધારકોને ઝીરો બેલેન્સીની સુવિધા મળવા લાગશે. નોંધનીય છે કે, તે સમયે બેન્ક મેટ્રો શહેરોમાં બચત ખાતાધારકોને લઘુત્તમ રકમના રૂપમાં 3000 રૂપિયા, નાના નગરોમાં 2000 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં 1000 રૂપિયા ખાતામાં રાખવા જરૂરી છે.