લલિતેશ કુશવાહા/ભરતપુરઃ દેશમાં હવે ખેડૂતો ઉપરાંત નિમ્ન સંસ્થાઓ પણ પરંપરાગત ખેતીને છોડીને કાર્બનિક ખાતરના માધ્યમથી રોકડ અને બાગાયતી પાકો પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કારણ કે, આ રીતે ખેતીથી સંસ્થાઓને ઓછા ખર્ચે વધારે નફો થાય છે. જો વાત કરવામાં આવે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચ્ચેન ઉપખંડના ગામ ખરેરામાં એકલ ગ્રામોદય ફાઉન્ડેશન અને એકલ વિદ્યાલય ફાઉન્ડેશન ઓફ અમેરિકા સાથે સંબંધિત સિનસિનાટી ડેટન ગ્રુપ અમેરિકા દ્વારા સંચાલિત ગ્રામોત્થાન રિસોર્સ સેન્ટર ખાતે ઓર્ગેનિક ખાતરમાંથી શાકભાજી અને ઔષધિઓ ઉગાડવામાં આવી રહી છે.
આ પાકને સ્થાનિક વિસ્તાર અને દેશના વિવિધ પ્રાંતો ઉપરાંત વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. આ ખેતીથી પ્રતિવર્ષ લાખો રૂપિયાનો કારોબાર થવાના કારણે ઘણા લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. આ સંસ્થા તરફથી વરસાદના પાણીને એકત્રિત કરવા માટે હોજ પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે પણ આ પાકોને પાણીની જરૂર હોય, ત્યારે આ હોજમાંથી પાણી લેવામાં આવે છે.
દર વર્ષે 10 લાખથી પણ વધારેની કમાણી - રાજસ્થાનના અધિકારી ત્રિવેંદ્ર પારાશરે જણાવ્યું કે, ગ્રામોત્થાન સંસાધન કેન્દ્ર પર વર્ષ 2020થી રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિંયા ખાત અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને, શાકભાજી, ઔષઘિઓ ઉગાડવામાં આવી રહી છે. દેશના લોકોની સાથે-સાથે અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીયોને પણ અહીં ઉગાડવામાં આવતા પાક ઘણા પસંદ છે અને તેઓ આ સંસ્થાના સહયોગથી શાકભાજી અને ઔષધિઓ મંગાવે છે.
ટાંકીમાં વરસાદના પાણીને એકત્રિત કરવામાં આવે છે - પર્યાવરણ પ્રદૂષણના કારણે ધરતી પર જળ સ્તર ઘટી રહ્યું છે. આ કારણથી આવશ્યકતા પડવા પર વરસાદ થઈ શકતો નથી, પરંતુ તેના સમાધાન માટે વરસાદના સમયે વ્યર્થ જતા પાણીને ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે. જેથી આવશ્યકતા પડવા પર આ પાકોને પાણી પૂરુ પાડી શકાય. અહીં ઉગાડવામાં આવતા પાકોને સમયસર પાણી મળવાના કારણે જ ઉપજ સારી થાય છે.