Home » photogallery » બિઝનેસ » PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

PM Kisan Samman Nidhi Registration: જો તમે હજુ સુધી પીએમ કિસાનના 14મા હપ્તા માટે અરજી કરી નથી, તો જલ્દીથી અરજી કરો. તો ચાલો જાણીએ કઈ રીતે અરજી કરવી.

  • 16

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    દેશભરના ખેડૂતોની આર્થિક મદદ માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ ચલાવી રહી છે. આ અંતર્ગત 12 કરોડથી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ગયા મહિને ફેબ્રુઆરીમાં, યોજનાના 13મા હપ્તા માટે નાણાં આપવામાં આવ્યા છે. હવે 14મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે. તેથી જો તમે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ માટે અરજી નથી કરી, તો જલ્દી કરો. અમને અરજી કરવાની પદ્ધતિ, પાત્રતાની શરતો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

    MORE
    GALLERIES

  • 26

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    PM કિસાન સન્માન નિધિ દ્વારા કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 આપે છે. આ રકમને ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે અને સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને કૃષિ કાર્યોમાં સરળતા લાવવાના હેતુથી આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    કેન્દ્ર સરકારની યોજના હેઠળ, અત્યાર સુધીમાં 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઇ ગયા છે. ગયા મહિને, 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ, કર્ણાટકમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ 8 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના 13મા હપ્તાના 16,800 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા હતા. ખેડૂતો હવે 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે એપ્રિલથી જુલાઈ 2023માં રિલીઝ થવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 46

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટેની શરતો: કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ માટે કેટલીક પાત્રતાની શરતો નક્કી કરી છે. નિયમો મુજબ જે ખેડૂતો આવકવેરો ભરે છે તેઓ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ સિવાય પતિ અને પત્ની બંને યોજનાનો લાભ લઈ શકતા નથી. ખેડૂત પિતા અને પુત્ર બંને આ યોજના માટે પાત્ર નથી. તેમજ લાભાર્થી ખેડૂતના મૃત્યુ પછી, સંબંધીઓ યોજનાનો લાભ લઈ શકતા નથી.

    MORE
    GALLERIES

  • 56

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    ઓનલાઇન અરજી માટે: સૌવ પ્રથમ pmkisan.gov.in પર જાઓ. આ પછી ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. હવે New Farmer Registration વિકલ્પ પસંદ કરો. ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણી વિકલ્પ પર ક્લિક કરો. આ પછી આધાર, મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો અને ગેટ OTP પર ક્લિક કરો. હવે OTP નંબર દાખલ કરો અને નોંધણી માટે આગળ વધો વિકલ્પ પસંદ કરો.

    MORE
    GALLERIES

  • 66

    PM Kisan Yojana: સરકાર આપવા જઈ રહી છે 14મોં હપ્તો, જલ્દીથી કરો રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને શરતો

    વધુ વિગતો પર ક્લિક કરો અને રાજ્ય પસંદ કર્યા પછી, જિલ્લા, બેંક અને આધાર કાર્ડ અનુસાર માહિતી ભરો. આ પછી, આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો. હવે ખેતીની માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. તે પછી સેવ બટન પર ક્લિક કરો. હવે તમારી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ દેખાશે.

    MORE
    GALLERIES