નવી દિલ્હીઃ જો તમને સરકારી નોકરી મળી જાય અને પછી થોડા સમય પછી કોઈક તમને કહે કે, ખેતીવાડી કરો અને તમે નોકરી છોડી દેશો? તો તમે તેને બેવકૂફી કહેશો. પરંતુ રાજસ્થાનના બારા જિલ્લામાં રહેનારા ધનરાજ લવવંશીએ 1-2 નહિ પણ, 3-3 સરકારી નોકરીઓ છોડીને ખેતીને પોતાનો બિઝનેસ બનાવ્યો અને હવે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.
સોયાબીનની ખેતી કરવા માટે સરકારી નોકરી છોડનારા ધનરાજે પહેલી વાર 4 લાખ રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ તેમને તેનાથી લગભગ તેમણે તેનાથી લગભગ 38 લાખ રૂપિયાનો નફો કર્યો. આ વખતે તેમણે બે પ્રકારની ઓફ સિઝન શાકભાજી ઉગાડી, જેનાથી તેમને 1 કરોડ કમાણી થવાનો અંદાજ છે. આજે ધનરાજ ખેતી દ્વારા ન માત્ર પોતાની સારી કમાણી કરી રહ્યા છે, પણ તેમના ખેતરમાં 40 લોકોને રોજગાર પણ આપ્યો છે.
આજે તેમના ગામના લોકો ધનરાજને ‘વૈજ્ઞાનિક’ નામથી બોલાવે છે. હવે આગળ તેમનો વેજિટેબલ હાર્વેસ્ટિંગ કંપની શરૂ કરવાનો પ્લાન છે. ધનરાજની કહાણી એક ઉદાહરણ છે, કે જો યોગ્ય તકનીક શીખવામાં આવે, તો ખેતીમાં ખોટ નહિ પણ નફો થઈ શકે છે.જ્યારે છેલ્લા 4 વર્ષમાં, શેરની કિંમત 1 રૂપિયાથી વધીને 20.72 રૂપિયા થઈ છે અને આ સમય દરમિયાન તેણે તેના રોકાણકારોને 1,800% કરતા વધુ વળતર આપ્યું છે. કંપનીના શેરમાં તેજીનું વલણ હજુ પણ છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેના શેર સતત અપર સર્કિટ લગાવી રહ્યા છે.