Home » photogallery » બિઝનેસ » અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

ખેડૂત સુરેશભાઈએ એક હેક્ટર એટલે કે, આશરે છ વિઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો હતો. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા આ બગીચામાં કોઈ પણ પ્રકારનું પ્રાકૃતિક કે રાસાયણિક ખાતર ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનું જ ખાતર તરીકે ઉપયોગ કરીને સુરેશભાઈ અનોખો ચીલો ચાતરી રહ્યા છે.

  • 19

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    અમરેલી: અમરેલી જિલ્લો એ મુખ્યત્વે કૃષિ પર આધારિત જિલ્લો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસ સહિતના તેલીબિયાં પાક સાથે અનાજ, ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. અમરેલી જિલ્લાના શેડુભારના સરપંચ અને ખેડૂત સુરેશ કુંભાણી ખેડૂતો માટે પ્રેરણારુપ બન્યા છે. આ અગાઉ રાસાયણિક ખેતી કરતા સુરેશભાઈએ જાતે જ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો વિચાર કર્યો અને પાંચેક વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી.

    MORE
    GALLERIES

  • 29

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    આ ઉત્પાદન તેની ગુણવત્તાને જોતા સુરેશભાઈએ કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. જણાવી દઈએ કે, તેમણે એક હેક્ટર એટલે કે, આશરે છ વિઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો હતો. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા આ બગીચામાં કોઈ પણ પ્રકારનું પ્રાકૃતિક કે રાસાયણિક ખાતર ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનું જ ખાતર તરીકે ઉપયોગ કરીને સુરેશભાઈ અનોખો ચીલો ચાતરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 39

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    પ્રાકૃતિક ખેતીના આ બગીચામાં સુરેશભાઈએ સીતાફળના 250 છોડ, જામફળના 250 છોડ, લીંબુડીના 200 છોડ, ચીકુના 10 છોડ , કેળના 100 છોડ, સફરજનના 125 છોડ, પપૈયાના 200 છોડ, રીંગણીના 1,000 છોડ, ટામેટાના 1,000 છોડ, ગલકા, કારેલા અને દૂધીના 500-500 છોડ, આંબાના 20 છોડ, રાવણાના 10 છોડ ઉપરાંત સરગવા, હળદર, શક્કરિયા, શેરડી અને ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 49

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    વીસ મહિનાથી તૈયાર થયેલા આ બગીચામાં હાલમાં ટામેટા, પપૈયા, જામફળ, ચીકુ, સરગવો, હળદર, શક્કરિયા, શેરડી, મરચા, સહિતના બાગાયતી અને ખેત ઉત્પાદનો મેળવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 59

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપતા સુરેશભાઈ જણાવ્યું કે, હુ યુટ્યૂબ પર સુભાષ પાલેકરના વીડિયો જોઈને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયો હતો. સૌથી પહેલાં મેં ટામેટાની ખેતી કરી, ટામેટામાં મને લાખેણું ઉત્પાદન મળ્યું, જેથી મેં નક્કી કર્યુ કે હવે મારે મારી ખેતીને ઝેરમુક્ત બનાવવી છે.

    MORE
    GALLERIES

  • 69

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    આ હેતુથી મેં એક હેક્ટરમાં બગીચો તૈયાર કર્યો હતો. આ બગીચામાં શરુઆતમાં જીવામૃત, ઘનામૃત સહિતના પ્રાકૃતિક તત્વોનો પ્રયોગ કર્યો, પરંતુ છેલ્લા બે વર્ષથી હું કોઈ પણ પ્રાકૃતિક ખાતરનો છંટકાવ પણ કરતો નથી.

    MORE
    GALLERIES

  • 79

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    વધુમાં તેમણે જણાવ્યું કે, છોડના એકબીજાના પોષક તત્વોથી તેનો વિકાસ થાય છે. વધુમાં પાળે ઉગી નીકળતા ઘાસને મલ્ચિંગ કરી અને હું તેનો જ ખાતર તરીકે ઉપયોગ કરું છું. સુરેશભાઈ જણાવ્યુ કે, હું જિલ્લાના અને રાજ્યના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા માટે અપીલ કરુ છુ.

    MORE
    GALLERIES

  • 89

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    જણાવી દઈએ કે, સુરેશભાઈના બગીચાની મુલાકાત જિલ્લાના ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતી કરતા અમરાપુરાના ખેડૂત ભીખા પટોળિયા પાસેથી પણ સુરેશભાઈ માર્ગદર્શન મેળવે છે.

    MORE
    GALLERIES

  • 99

    અમરેલીના ખેડૂતે કરી કમાલ, પાકના ભક્ષકને જ બનાવી નાખ્યું રક્ષક

    ખેડૂત સુરેશભાઈએ જણાવ્યું કે, તમે ખાઓ અને ખબર પડે એનું નામ પ્રાકૃતિક. રસાયણોના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે, આ સાથે જ જમીન અને માનવ જાતિનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે, ત્યારે આગામી પેઢીને સ્વસ્થ બનાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ઢળવુ જ રહ્યું છે.

    MORE
    GALLERIES