Home » photogallery » બિઝનેસ » ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

Gulkhaira Farming Business Idea: ગુલખેરાને ગુલાબી સોનું પણ કહેવાય છે અને આ ફૂલ કદરતી વાયગ્રા પણ ગણાય છે. 10000 રુપિયા ક્વિન્ટલ વેચાતા આ ફૂલના છોડમાંથી પણ અનેક દવાઓ બને છે. જેથી તેની ખેતી કરીને તમારે ગ્રાહકોને શોધવા નહીં જવા પડે.

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 16

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    દરેક નોકરિયાત વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાનો કોઇ બિઝનેસ (Start Business) શરૂ કરે અને સારી કમાણી કરીને સેટલ કરિયર બનાવી શકે. બિઝનેસ કરવા માટે ઘણા વિકલ્પો (Business Idea) ઉપલબ્ધ છે. પરંતુ તમે ખેતી દ્વારા પણ લાખોની કમાણી કરી શકો છો. આજકાલ પરંપરાગત ખેતીથી અલગ પ્રકારના પાકો અને ઉત્પાદનોની ખેતી કરવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છો.

    MORE
    GALLERIES

  • 26

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    આવા પાક દ્વારા ખેડૂતો ખૂબ સારી કમાણી કરી શકે છે. જો તમે પણ ખેતી દ્વારા તગડા પૈસા કમાવા ઇચ્છો છો તો તમારે એવા એક ઔષધીય છોડની ખેતી શરૂ કરવી જોઇએ જેના મૂળ, ડાળીઓ અને પાંદડાઓ બધુ જ બજારમાં વેચાઈ જાય. અમે વાત કરી રહ્યા છીએ ગુલખેરાની ખેતી (Guulkhaira Farming) વિશે.

    MORE
    GALLERIES

  • 36

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    ગુલખેરાના છોડને તમે તમારા કોઇ પણ પાકના વાવેતરની વચ્ચે લગાવીને તેમાંથી કમાણી કરી શકો છો. ગુલખેરાનો સૌથી વધુ ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 46

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    કઇ રીતે કરી શકો છો કમાણી - મીડિયા રીપોર્ટનું માનીએ તો ગુલખેરા 10,000 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી વેચાય જાય છે. એક વીઘામાં 5 ક્વિંટલ ગુલખેરા નીકળે છે એટલે કે તમે એક વીઘામાંથી સરળતાથી 50,000-60,000 રૂપિયા કમાઇ શકો છો. આ છોડની ખાસિયત તે છે કે એક વખત તેનું વાવેતર કર્યા પછી ફરીથી તમારે માર્કેટમાંથી બિયારણ લેવાની જરૂર પડતી નથી. તેનું વાવેતર નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે અને આ પાક એપ્રિલ-મે મહિનામાં તૈયાર થઇ જાય છે. પાક તૈયાર થયા બાદ એપ્રિલ-મે માસમાં છોડના પાંદડા એને ડાળીઓ સુકાઇને ખેતરમાં નીચે પડી જાય છે. જેને એકત્રિત કરી લેવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 56

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    ગુલખેરાનો ઉપયોગ - ગુલખેરાના ફૂલ, પાંદડા અને ડાળીઓનો ઉપયોગ યુનાની દવાઓ બનાવવામાં થાય છે. આ ફૂલનો ઉપયોગ મર્દાના તાકાત માટેની દવાઓમાં કરવામાં આવે છે. આ ઉપરાંત તાવ, ખાંસી અને અન્ય બિમારીઓની દવાઓમાં પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    ત્રણ વીઘા જમીનમાં પાંચ મહિનામાં દોઢ લાખની આવક, આ રીતે થાય છે નેચરલ વાયગ્રાની ખેતી

    ક્યાં થાય છે ગુલખેરાની ખેતી? - ગુલખેરાની ખેતી સૌથી વધુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં કરવામાં આવે છે. જોકે, હવે ધીમે ધીમે ભારતમાં પણ આ છોડની ખેતી થવા લાગી છે. ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લાઓમાં ખેડૂતો ગુલખેરાનો પાક તૈયાર કરે છે. કન્નોજ, હરદોઇ, ઉન્નાવ જેવા જીલ્લાઓના ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે અને વર્ષે લાખોની કમાણી પણ કરે છે.

    MORE
    GALLERIES