Home » photogallery » bhavnagar » Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઇંટ, ચૂનો અને પથ્થરનાં ઉપયોગ આ મંદિરમાં કરવામાં આવ્યો નથી. આરસ પહાણમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે.

  • 17

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    Dhruvik gondaliya, Bhavnagar : સૌરાષ્ટ્રએ ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ છે. સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા જોવાં મળે છે. ભાવનગરમાં આવું જ એક મંદિર આવેલું છે. પૌરાણિક તો છે જ પરંતુ ભાવનગરના ભાવેણાંનું આસ્થાનું પણ પ્રતિક છે.

    MORE
    GALLERIES

  • 27

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    આ મંદિરનું નામ તખ્તેશ્વર મહાદેવ છે. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે.

    MORE
    GALLERIES

  • 37

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યાં હતાં. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબ જ ઠંડીનો માહોલ હતો. આ સમયે રાજાએ સંતને શાલ ઓઢાડી તો સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી તેવી લોકવાયકા છે. આ સંતનું નામ મસ્તરામબાપુ હતું.

    MORE
    GALLERIES

  • 47

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    જોકે, આ ઘટના પછી તખ્તસિંહજી રાજા સમજી ગયા કે આ કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે. ત્યારબાદ તખ્તસિંહજીએ નીચે ઉતરી તુરંત સંતને પૂછ્યું 'મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?' આ સમયે સંત તેની ભાષામાં બોલ્યાં કે, 'તખ્તા કરી લાત હાથ પક્તા' 'ફીર આયેગા વક્તા (વક્ત)' બાત મસ્તરામ બક્તા\" તું બારસો પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ. દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ. આ ધરતીને છોડ્યાં પછી તારું કામ તને કાયમ ચિરંજીવ રાખશે. આ ઘટના બાદ રાજાએ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો.

    MORE
    GALLERIES

  • 57

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે. આ મંદિર સને-1883 માં સફેદ આરસ પહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે.

    MORE
    GALLERIES

  • 67

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    મંદિરને સર તખ્તસિંહજીએ સં.ઈ.સ. 1893 માં જાન્યુઆરી માસમાં દેવાધિદેવ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લું મુક્યું હતું. મંદિરનો ઈતિહાસ અનેરો છે. શાંત, રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ 130 વર્ષ પુરાણું છે.

    MORE
    GALLERIES

  • 77

    Bhavnagar : આ મંદિરનાં નિર્માણમાં ઇંટ, ચૂનો, પથ્થરનો ઉપયોગ થયો નથી, કોણે બનાવ્યું હતું મંદિર?

    તખ્તેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચતા ભક્તોને 5 પ્રકારના લાભ થાય છે. પૂજારી સુરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખ્તેશ્વર મહાદેવના દર્શન કરતા પાંચ લાભો થાય છે. જ્યારે અન્ય મંદિરોમાં માત્ર 1 લાભ થતો હોય છે. આ પાંચ લાભોમાં જોઈએ તો, પ્રથમ વૉકિંગ થાય છે, બીજું ભાવનગરની પરિક્રમા થાય છે, ત્રીજું શુદ્ધ હવા મળે છે, ચોથું શિવજીના દર્શન થાય છે અને પાંચમું કે આવનારા ભક્તની અડધી કલાક એટલે કે 30 મિનિટ ક્યાં જતી રહે છે તેને ખૂદને ખ્યાલ રહેતો નથી. રવિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખતેશ્વર દાદાના દર્શન અમેરિકા, લંડન રહેતા લોકો પણ અચૂક આવે છે. શ્રાવણ માસમાં ભાવી ભક્તોની ભીડ રહે છે અને રૂદ્રાભિષેકથી લઈને અન્ય ધાર્મિક કાર્યો થાય છે.

    MORE
    GALLERIES