Dhruvik gondaliya Bhavngar : આદ્યકવિ નરસિંહ મહેતાને તેના ભાભી મેણુ મારે. નરસિંહ મહેતા ગોપનાથ મંદિરે અન્નજળનો ત્યાગ કરી ઉપાસના કરે છે. અહીં ભગવાન ભોળાનાથ તેમને દર્શન આપે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલાનાં દર્શન કરાવ છે. આ રસપ્રદ કથા અને ઇતિહાસ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે, જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે.
ગોપનાથ મંદિર સાથે અનેક કથા જોડાયેલી છે, તે મુજબ નરસિંહ મહેતાને તેના ભાભી મેણું મારે છે,ત્યારે તે આ મંદિરમાં 7 દિવસ અન્ન અને જળ વગર ભગવાનની ઉપાસના કરે છે,પરિણામ સ્વરૂપ ભગવાન મહાદેવ આ ભક્તને પ્રસન્ન થાય છે અને વરદાન માંગવાનું કહે છે,ત્યારે નરસિંહ મહેતા ભગવાનને જે વ્હાલું હોય તે આપવાનું કહે છે અને ત્રિલોકનાથ ભગવાન નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવે છે
ગોપનાથ મહાદેવ બ્રહ્મચારી જગ્યાના ટ્રસ્ટી સુજાનસિંહ વાજાએ જણાવ્યું હતુ કે , 1458ની સાલમાં ઝાંઝમેરના રાજવી તરીકે લખધીરસિંહ વાજા રાઠોડ રાજવી હતા. તેમણે ચાર ધામની યાત્રાએ સમયે કરેલી.યાત્રા બાદ દાન કરવાનો રિવાજ હોય ગોપનાથ મહાદેવ મંદિરના નિભાવ માટે 1300 વિઘા જમીનનું પોતાના રાજમાંથી દાન કરેલ.તેનો શીલા લેખ મળી આવેલ છે. આજે વાજા રાઠોડ રાજવીની સ્ટેચ્યુ અહીં દર્શનાર્થે અને જાજરમાન ઇતિહાસને લોકો જાણે તેમાટે મુકવામાં આવેલ છે.
પહેલી દીવાદાંડીની સ્થાપના 1879 મા થઈ હતી.1975થી તે કામ કરતી બંધ થઈ ગયી છે..સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે.દીવો હવે હટાવી લેવાયો છે, આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવાઈ હતી,હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લું છે પણ મિનારો બંધ કરી દેવાયો છે.
બીજી દીવાદાંડી: ઇ.સ.1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દિવાદાંડીનું કામ શરૂ થયું હતું,તે દીવાદાંડી હાલમાં પણ કાર્યરત છે,દર 20 સેકન્ડે પ્રકાશનો ઝબકારો કરતી જે મારા ગામ ખંઢેરામાં પણ દેખાય છે ,44 મીટરની ઊંચાઈએ,30 મીટર ઊંચાઈના લાલ અને સફેદ રંગે રંગાયેલા નળાકાર ટાવર પર લાલટેન મુકાયેલી છે,આ નવી દીવાદાંડી જૂની દિવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં છે.
સામાન્ય રીતે હિન્દૂ ધાર્મિકસ્થળ હોય ત્યાં ભગવા રંગની ધજા હોય છે પણ આ ઇતિહાસનું પહેલું એવું મંદિર છે કે જ્યાં ધોળા રંગની ધજા ચડે છે,કારણ કે હરિ અને હર આ બંને થઈ ને હરિહર નામ ઉપસી આવે છે અને બંનેના સ્વરૂપની પૂજા થાય છે,માટે ધોળી ધજા ચડે છે. પણ આના કારણે સ્થાનિકો તેને ધોળીધજાવાળા દેવ તરીકે ઓળખે છે મંદિરની બહાર પગથિયાં ઉતરો એટલે એકદમ સામે જ નરસિંહ મહેતાની મૂર્તિ આવેલી છે તળાજાના વિસ્તારમાં આવો તો આ સ્થળ પર્યટક સ્થળ,આધ્યાત્મિક સ્થળ તેમ જ,મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે માટે જોવાનું ચૂકશો નહીં જ.