Home » photogallery » bharuch » પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

ભૃગુઋષિએ કાચબાની પીઠ પર સવાર થઈ વસંતપંચમીએ 18000 શિષ્યો સાથે વસાવેલી નગરી ભરૂચમાં 300 વર્ષ પહેલાં પણ 3 મજલી 71 ઇમારતોની હયાતી હતી. 246 વર્ષ પહેલા 50,000ની વસ્તી હતી.

विज्ञापन

  • 19

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    Aarti Machhi, Bharuch: વસંત પંચમીએ ભરૂચની સ્થાપના થઈ હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2019થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવાય રહ્યો છે. ભરૂચ શહેરનો ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં લખાયેલો છે.

    MORE
    GALLERIES

  • 29

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    જેઓના નામ પરથી ‘ભૃગુકચ્છ’ કે ‘ભરૂચ નામ પડ્યું તે ભૃગુઋષિએ ભગવાન વિશ્વકર્માના મામા થાય છે. લક્ષ્મીજીના શ્રીનગર એવા ભરૂચને વસાવનાર ભૃગુ ઋષિની આખ્યાયિકા ભાગવતમાં આ પ્રમાણે છે. ભગવાન રૂદ્રે એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્મા આ યજ્ઞમાં આહૂતિ આપવા આવ્યા હતા. એ વખતે સૌંદર્યવતી દેવકન્યાઓને જોઈને બ્રહ્માનું વીર્ય સ્ખલિત થઈ ગયું હતું.

    MORE
    GALLERIES

  • 39

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

     ત્યાં તો સૂર્યે પોતાનાં કિરણોથી આ વીર્ય ખેંચીને યજ્ઞકુંડના અગ્નિમાં નાખી દીધું. અગ્નિની જ્વાળાઓના ભુગ ભુગ અવાજ સાથે એક તેજસ્વી બાળકનો જન્મ થયો અને તેનું નામ ભૃગુ પડ્યું. આમ, બ્રહ્માના વીર્યથી અગ્નિશિખામાંથી ભૃગુની ઉત્પત્તિ થઈ, તેથી તે બ્રહ્માના પુત્ર ગણાય છે.

    MORE
    GALLERIES

  • 49

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    દુનિયામાં સૌથી બીજા પ્રાચીન નગરમાં બીજા સ્થાને આવે છે.હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિકથી લઈ ઔદ્યોગિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં આજે પણ ઝળહળતી રાખી છે. નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કાચબાની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભરૂચ વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 59

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ, ડચ, મોધલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા. નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી. વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી. જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી.

    MORE
    GALLERIES

  • 69

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    ઈ.સ .1777માં અંગ્રેજોએ ભરૂચનુ વસ્તીપત્રક રજુ કર્યુ હતુ. જેમાં 50,000ની વસ્તી ગણના થઈ હતી. વર્ષ 1812 ના વસ્તી પત્રક વખતે 32716 લોકોની વસ્તી હતી. જેમાં હિન્દુ 26852, મુસ્લમાન 12022 , પારસી 2153 , ક્રિશ્ચિયન 506 , શ્રાવક 721 , શિખ 3 , એનિમિસ્ટીકસ 638 હતા.

    MORE
    GALLERIES

  • 79

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    ભરૂચ શહેરની બીજી વખત વર્ષ 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ 10443 મકાનો હતા. જેમાં ત્રણ માળથી વધારેમાં 71 મકાનો, બે માળના 661 મકાનો, એક માળના 3221 મકાનો અને માળ વગરના 2838 મકાનો હતા. શહેરમાં 2354 કાચા ઝૂપડા હતા. સાથે જ 19 કારખાના, 1278 દુકાનો હતી, ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.

    MORE
    GALLERIES

  • 89

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    ભરૂચને 8000 વર્ષોમાં 13 ઐતિહાસિક નામ મળ્યા છે. શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા, બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ. ભરૂચના જાણીતા સ્થળોમાં ઐતિહાસિક કોટ, ગોલ્ડન બ્રિજ, સોનાનો પત્થર, વિકટોરીયા ટાવર, કબીરવડ, સેવાશ્રમ, ભૃગુઋષિ મંદિર, અગિયારી, જુમ્મા મસ્જિદ, ચદરવાલે સાહેબ ગુરૂદ્વારા, ફુરજાબંદર, ભાગાકોટનો ઓવારો, ભારતનું સૌપ્રથમ ભકતામાર મંદિર, ઝુલેલાલ મંદિર, ડેવિડ વેડર બર્નની કબરનો સમાવેશ કરવામાં આવે છે. તો ભરૂચની જાણીતી ચીજવસ્તુઓમાં સુજની, ખારી સિંગ, હિલ્સા માછલીનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 99

    પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ? કેવો હતો ભવ્ય ભુતકાળ? જાણો

    રૂચને પંડિત ઓમકારનાથ ઠાકુર, કનૈયાલાલ મુન્શી, ડો.ચંદુભાઈ દેસાઈ, ડો.કમાં કાકા, ઈચ્છાલાલ મામલતદાર, નથુ થોભણ, માધવરાવ જોગ, સર શાપુરજી બરજોરજી ભરૂચા અને જશવંતલાલ ચોકસી નવરત્નો મળ્યા છે.

    MORE
    GALLERIES