Home » photogallery » banaskantha » બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

banaskantha news: બુધવારે ધાનેરાના (Dhanera) સામરવાડા (samarvada) પાસે આજે બપોરના સમયે ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા (Tractor and bike accident) અકસ્માત સર્જાયો હતો.

विज्ञापन

  • 15

    બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banaskantha) બે દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident) બે બાઇક ચાલકોના મોત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં આજે બુધવારે ધાનેરાના (Dhanera) સામરવાડા (samarvada) પાસે આજે બપોરના સમયે ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા (Tractor and bike accident) અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક યુવકને (boy died in accident) ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું અને ગઈકાલે પણ થરાદ પાસે ટ્રેલરની અડફેટે આવી જતા બાઈક ચાલકનું મોત થયું હતું.

    MORE
    GALLERIES

  • 25

    બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

    ધાનેરા સામરવાડા પાસે આજે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલકનો કરુણ મોત નીપજયું હતું. ભૂપતસિંહ દરબાર નામનો યુવક પોતાનું બાઇક લઇને સામરવાડા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રેકટરની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

    MORE
    GALLERIES

  • 35

    બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

    અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઇ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવ ને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

    ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    બનાસકાંઠાઃ ધાનેરાના સામરવાડા પાસે ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, ભૂપતસિંહ દરબારનું મોત થતાં પરિવારમાં માતમ

    આશાસ્પદ યુવકનું મોત થતાં હોસ્પિટલમાં તેના પરિવારજનો અને સગાસંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા, ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં બે અલગ અલગ જગ્યાએ બે બાઇકચાલકો ના મોત થયા છે.

    MORE
    GALLERIES