Home » photogallery » banaskantha » યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ambaji Aarti of SharadPoonam: અંબાજીમાં વહેલી સવારે શરદપૂનમની મંગળા આરતી કરવામાં આવી. આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હિંદુ ધર્મ પ્રમાણે શરદપૂર્ણીમા વિશેષ માનવામાં આવે છે. અંબાજીમાં આજે રાત્રે 12 વાગ્યે વાગે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

विज्ञापन

  • 15

    યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    અંબાજી: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે શરદપૂનમના મંગળ પર્વ પર મંગળા આરતી કરવામાં આવી. આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શરદપૂનમ નિમિત્તે આજે રાત્રે 12 વાગ્યે વાગે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 25

    યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    અંબાજી મંદિરમાં આજે શરદપૂનમની મંગળા આરતી કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાહવો લેવા માટે ઉમટી પડ્યા હતા. અંબાજીમાં દર શરદપૂર્ણીમાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવતું રહે છે.

    MORE
    GALLERIES

  • 35

    યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    ઉલ્લેખનીય છે કે, શરદપૂર્ણિમાની વહેલી સુમારે 6 વાગે મંગળા આરતી કરવામા આવતી હોય છે, જેમાં ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. શરદપૂનમની આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. ભક્તોના અનેરા આનંદ સાથે મા અંબાની આરતી કરવામાં આવતી હોય છે.

    MORE
    GALLERIES

  • 45

    યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    આજે શરદપૂર્ણિમાને લઇને અંબાજી મંદિરમાં દુધ પૌઆ ધરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ માટે રાત્રીનાં 12 કલાકે માતાજીની આરતી કરાશે. આ સાથે જ શરદપૂનમ હોવાને કારણે માતાજીનાં ચાચર ચોકમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ મા અંબાના ચાચર ચોકમાં સાંજે 30 હજાર દીવડાની મહાઆરતી પણ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 55

    યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમની મંગળા આરતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    ભક્તોમાં શરદપૂનમનું વિશેષ મહત્વ હોય છે, આ દિવસે ઘણા ભક્તો મા અંબાનો ઉપવાસ પણ રાખતા હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આસો વદ પૂનમ એટલે શરદ પૂનમ ગણાય છે. આ દિવસે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે. જ્યારે હિંદુ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીજીની આરાધના અને તેમને પ્રશન્ન કરવામાં આ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES